Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 166
________________ (૨) વ્યવહાર આત્મા ૭૧ કરનારોય “એ”. અને આ તો ગ્રહણ કરનારો બંધ થયો ને છોડનાર વ્યવસ્થિત, ‘પોતે વચ્ચે નવરો થઈ ગયો. - હવે એ ભારે વસ્તુ લોકોને શી રીતે સમજાય ? આમાં મેળ પડે નહીં, એટલે એમ જ જાણે કે મૂળ ચેતન જ આ બધું કરે છે. અક્રમે ઉડાડ્યું ભાવકર્મ પ્રશ્નકર્તા ઃ તો કૃપાળુદેવે બીજું કહ્યું છે કે, “ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ.” એ સમજાવો. દાદાશ્રી : હા, એ બરોબર છે. ભાવકર્મ નિજકલ્પના માટે ચેતનરૂપ. પણ એ ભાવકર્મ હોય ત્યાં સુધી છે. ભાવકર્મ એ વ્યવહાર આત્માને લાગુ થાય છે. આપણે અહીં ભાવકર્મ જ ઉડાડી દીધેલું છે હપૂરું, બિલકુલેય. પ્રશ્નકર્તા: મૂળ આત્માને રાખ્યો ખાલી. દાદાશ્રી : મૂળ આત્માને ચોખ્ખો જ મૂકી દીધો અને ક્રમિકમાં ભાવકર્મ હોય, એ પોતાની કલ્પના કહેવાય. માટે ચેતન રૂપ એટલે મિશ્ર ચેતન થાય છે. નિજકલ્પના એટલે સંકલ્પ-વિકલ્પ. ભાવકર્મ નથી તેને નિર્વિકલ્પ. આપણે આખું ભાવકર્મનું અસ્તિત્વ જ ઉડાડી દીધું. જે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં જાય, કેવળજ્ઞાન થાય ત્યારે જાય, તે આપણે અહીં તરત જ ઉડાડી મેલ્યું. નહીં તો ‘તમે નિર્વિકલ્પ કહેવાઓ જ નહીંને ! અને “હું ચંદુભાઈ છું' એ જ વિકલ્પ, “હું એન્જિનિયર છું” એ વિકલ્પ, જૈન છું' એ વિકલ્પ, હું વાણિયો છું” એ વિકલ્પ, ‘પચાસ વર્ષનો છું' એ વિકલ્પ, બધા કેટલાય વિકલ્પો. બધા વિકલ્પો ફ્રેકચર થઈ ગયા. હવે આ ભાષા છે તે જ્ઞાનીઓ એકલા જ સમજે, બાકી આ અજ્ઞાની માણસો કેમ કરીને સમજે ? એટલે લોકો મૂળ ચેતનને સમજે

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220