Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 207
________________ ૧૧૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : આત્માના પ્રકાશમાં છે તે મહીં ઝળકે. એટલે શબ્દ હોતા નથી ત્યાં આગળ. આ જ્યાં જોવાનું ને જાણવાનું, પ્રકાશમાં ઉતારતા સુધી શબ્દો છે. પછી જતા રહે છે શબ્દો એને ઘેર ! પછી તો જ્ઞાયકભાવ. જાણવા-જોવાના ભાવમાં રહ્યો એ આનંદ. પોતાને બીજી કોઈ જરૂર નથી. જાણવા-જોવાના ભાવમાં તો કશું કરવાનું નહીં. મહીં ઝળકે, પોતાની મહીં જ. ક્રિયા નહીં કોઈ જાતની, અક્રિય. ક્રિયા કરે તો થાક લાગે, સૂઈ જવું પડે, ઊંઘી જવું પડે. પ્રશ્નકર્તા એ જ્ઞાન પહેલા પણ જે કંઈ જાણે એ આત્માના ગુણથી જાણેને, જાણે તો ? દાદાશ્રી : ના, એ છે તે ભરેલા પાવરથી જાણે છે. પ્રશ્નકર્તા ઃ અને હવે આ જ્ઞાનપણે જાણપણાનો જે વારે વારે અનુભવ આવે છે એ આત્માનો જ અનુભવ આવ્યોને ? દાદાશ્રી : બધું આત્માનું જ. પણ તેમાં આ બહારનું જ્ઞાન જે દેખાડે છે, એ પાવર ચેતન (મિશ્રચેતન) દેખાડે છે. પ્રશ્નકર્તા: દાદા, તો મૂળ આત્માની જે જોવા-જાણવાની ક્રિયા છે અને મિશ્ર ચેતનની (પાવર ચેતનની) જોવા-જાણવાની ક્રિયા છે, એમાં ફેર શો છે ? દાદાશ્રી : મિશ્ર ચેતન વિનાશી એકલાને જ જોઈ શકે છે અને મૂળ ચેતન છે તે વિનાશી ને અવિનાશી બેઉ જોઈ શકે છે, બન્નેય જાણે-જુએ. “ભાવ”થી અશુદ્ધ થયાં પગલ, “જોવાથી થાય શુદ્ધ આ આપણે પોતાને શુદ્ધાત્મા બોલીએ છીએને, એટલે આ બહારવાળો જે ભૌતિક ભાગ છેને, જેને “પુદ્ગલ’ કહીએ છીએ, તે આ પુદ્ગલ શું કહે છે કે અમારું શું? હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ મુક્ત નહીં થાવ, જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી તમે છૂટા નહીં

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220