Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવેશ... -શ્રુતપ્રેમી ડૉ. દીપકભાઈ કામદાર શ્રીમતી હીનાબેન કામદાર રોહિત જિનલ નાગપુર નિશ્ચયની ગહન યાત્રા. જ્ઞાનયોગનો અનુભૂતિખંડ. દેહભાવથી નિર્લેપ થનારો વિચારપથ. અધરું અને ઊંચું છે આ બધું. સાધારણ કક્ષાનો ધર્માત્મા ન સમજી શકે તેવી આ ચિંતનધારા છે. પદ એટલે પગલું. વિરાટનું એક પગલું આસમાનને આંબે. અહીં આઠ પગલાં છે. પ્રત્યેક પગલાની પાછળ પાછળ ચાલવાનો પ્રયાસ કર્યો છે. અષ્ટપદીનો નિગૂઢ રહસ્યાર્થ સાધકને જ સમજાય. આ અષ્ટપદીને સારા સંગીતકારના કંઠે ગવાતી સાંભળીને જે ભાવો જાગ્યા તે આલેખ્યા છે. અષ્ટપદીનો પરમાર્થ આઠહજાર પાનામાંય સમાય તેમ નથી. કેવળ ૮૦ પાનાની પુસ્તિકામાં શું સમાય ? છતાં દંતકથાનુસાર શ્રીઆનંદઘનજી મહારાજા અને શ્રીસુ સજી મહારાજાની મિલનકથાની આ રચનાને ભક્તિભાવે શબ્દોથી પારખવાનો પ્રયત્ન કર્યો છે. મારી સંયમસાધના અને સાહિત્યસાધના પર જેમનો અનહદ ઉપકાર છે, વાચક જસ-ની લગની જેમના થકી લાગી છે તેવા પરમશાસનપ્રભાવક પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને આ આસ્વાદનું અર્પણ. ફાગણ સુદ ૬ | વિ.સં. ૨૦૬૫ પ્રશમરતિવિજય અમરાવતી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 43