Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ (૧) દીક્ષા. દીક્ષાના ઠરાવમાં બાળદીક્ષાને પણ રાખી છે. આની સામે મારે વિરોધ સમેલન ચાલતું હતું તેજ વખતે મેં સમેલન પર કતાર કરી પાઠવી દીધો હતો. બાળદીક્ષા શાસ્ત્રષ્ટિએ પણ વિરલવિષયક છે. તેનું સ્થાન કાદાચિત્ક છે. તેનું સ્થાન આ જમાનામાં તે શું, પણ શ્રી તીર્થકર ભગવતોના જમાનામાં પણ અત્યન્ત વિરલ હતું. ત્યારે આજે તેનું સ્થાન કેટલું? એ સહજ સમજી શકાય છે. છતાં સમેલને તેને દીક્ષાના ઠરાવમાં દાખલ કરી છે તે ગ્ય નથી થયું. દીક્ષા માટે સોળ વર્ષની ઉમ્મર થવા સુધી રાહ જોવામાં કંઈ જ ખોટ નહતી. ત્યાં સુધી ધીરજ રાખવાની આવશ્યક્તા હતી. આટલું નિયમન કરવામાં ખરેખર સમેલનનું ઔદાર્ય વખણાત અને તેની વિચારસંસ્કૃતિની જગની દષ્ટિએ પ્રશંસા થાત. જે કે, ઠરાવમાં, બાળકને જે ગામમાં દીક્ષા આપવાની હોય ત્યાંના બે શ્રાવક દ્વારા બાળકના ગામે આદમી મેકલી તેના માતાપિતા કે વાલીની લેખિત સમ્મતિને * Request not to pass Bala-Diksha resolution. Please, register my emphatic protest against Bala-Diksba. My humble opinion is that Sammelan will lose prestige in favouring Bala-Diksha. Hope Sammelan would show wisdom to check Diksha up to 16 years age. Nyayavijaya. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20