Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ શ્રમણ પિતાના ચારિત્રગુણે પ્રધાન છે જ. એમાં નવી વાત શી હતી ? અને એમાં કોને વાંધો છે? પણ એની પાછળ શ્રાવક–સંઘની એગ્ય સત્તા અને તેના સમુચિત અધિકારને ઉતારી પાડવાનો આશય જે રહ્યો હોય તો તે અનુચિત ગણાશે. શ્રાવકસંઘ સાધુઓના ગમે તેવા વિચાર–આચાર સામે માથું નમાવ્યા જ કરે, તેમના રૂઢિષિત અને અજ્ઞાનાવૃત વિચાર અને કલુષિત વર્તન સામે માથું ઉંચું કરવાને તેમને અધિકાર જ નથી એવો ખ્યાલ જે કઈ રખાતે હોય તો તેને હવે ભુંસી નાખો જ રહ્યો. સામયિક વાતાવરણને પ્રભાવ હજુ પણ અમારા સાધુઓના ભેજાને ન સ્પર્યો હોય તો એ નવાઈની વાત ગણાશે. (૪) સાધુસંસ્થાની પવિત્રતા શી રીતે વધે? આ ઠરાવમાં કેટલાક અંશે વિચારણીય છે. (૫) તીર્થસંબંધી. આ સાદી સૂચનામાં કંઈ વિશેષત્વ નથી. (૬) સાધુસંસ્થાની જ્ઞાનવૃદ્ધિ. આ એગ્ય છે. (૭) દેશના. આમાં કરેલી જટિલ શબ્દજના તેની પાછળને ભેદ ખુલ્લો કરે છે. છતાં તેમાંથી યથેષ્ટ ભાવ કાઢી શકાતું હોવાથી કોઈને વાંધારૂપ થાય તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20