Book Title: Ahmedabadma Malel Jain Sadhu Sammelanna Tharavo Par Drushtipat
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ( ૫ ) આ રીતે મારા નમ્ર અભિપ્રાય મુજબ આ પહેલે ઠરાવ અયોગ્ય હોવાથી અગ્રાહ્ય છે. (૨) દેવદ્રવ્ય. દેવને અર્પિત થયેલું હોય તે દેવદ્રવ્ય કહેવાય. આ દેવદ્રવ્યની વ્યાખ્યા છે. પણ આરતિ–પૂજા આદિની બેલીનું દ્રવ્ય એને દેવદ્રવ્યમાં લઈ જવું કે ન લઈ જવું એ સંઘની મુખત્યારીનું કામ છે. તે ચાહે તો તેને દેવદ્રવ્યમાં લઈ જઈ શકે છે અને ચાહે તો અન્ય ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. કેમકે અર્પણ વગર દેવદ્રવ્ય થાય નહિ. પછી તેને “દેવદ્રવ્ય” ગણવાની આજે શી આવશ્યકતા હતી? બેલીની પ્રથા શાસ્ત્રીય નથી. એ રિવાજ લેકએ સગવડની ખાતર ઉભે કર્યો છે. એ લોકેની ઉભી કરેલી પ્રથા છે. પૂજા-ભકિત પહેલી કેણ કરે? એ સવાલને અંગે ઝઘડા ન થાય એ માટે અને ' ઉપજને સારૂ પણ બેલીનો રિવાજ ચલાવવામાં આવ્યો છે. માટે બેલીની ઉપજ દરેક ગામને સંઘ પોતાના સંગે - વિચારી તદનુસાર પોતાને અનુકૂળ પડે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પૂજા-આરતિ આદિ કોઈ પણ બોલીની ઉપજ ઉપર કોઈ પણ ક્ષેત્રને કઈ ચોક્કસ સિક્કો લાગે જ નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી પૂજા–આરતિ આદિની બેલીનું દ્રવ્ય “દેવદ્રવ્ય જ ગણાય એમ કહેવું એ સરાસર ગલત છે. પૂજાભક્તિનું નિમિત્ત હેવા માત્રથી કંઈ તેની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય નથી થઈ જતું. પણ દેવને તેનું અર્પણ ઠરાવવાથી તે દેવદ્રવ્ય થાય છે. તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવું કે ન ઠરાવવું એ સંઘની મુખત્યારીની વાત છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20