Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ 112 પિંડનિસ્તુતિ-(૩૦) દોષવાળા આહારનો ત્યાગ કરવો. 4i3432] અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુભગી થાયશુષ્ક અને આર્ક સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે, 1 શુષ્કમાં શુષ્ક, ર શુષ્કમાં આર્ટ, 3 આર્ટમાં શુષ્ક, 4 આદ્રમાં આર્દ. શુષ્કમાં શુષ્ક- શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલા, ચણા વગેરે સુકા કહેવાય. વાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદ્ધ કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે. શુષ્કમાં આર્ક- શુષ્ક વસ્તુમાં આર્ક વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્ર નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. આર્ટમાં શુક - આÁ વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, દુધ, ખીર આદિમાં ચણા વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે. આર્ટમાં - આર્ટ આર્ટ વસ્તુમાં આર્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અથતુ બીજુ મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણનું દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કહ્યું. [૪૩ઊં નિવહ થઈ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિવહ થઈ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઈએ. નિવહિ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી - સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિવહ ન થાય તેમ હોય તો ચાર ભાંગામાં. બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અથતુ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત શુદ્ધ રહે છે. [434-435] હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્દગમકોટિ અને વિશોધિકોટિ. ઉગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૦-પ૪-૯૦ અને 270 ભેદો થાય છે. 9 પ્રકાર * હણવું, હણાવવું અને અનુમોદવું. રાધ, રંધાવવું અને અનુમોદવું. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. 18 પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી. સેવે. ૯૪ર=૧૮. ર૭ પ્રકાર- (નવ કોટિને) સેવનાર કોઈ મિથ્યાદ્રષ્ટિ નિઃશંકપણે સેવે, કોઈ સમ્યગ્દષ્ટિ વિરતિવાળો. આત્મા અનાભોગથી સર્વે, કોઈ સમ્યવૃષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા 9*3=27 પ્રકાર થાય. પ૪ પ્રકાર-૨૭ પ્રકારને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે ૨૭૪૨=પ૪ પ્રકાર થાય. 90 પ્રકાર- નવ કોટિને કોઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. 9410=90 પ્રકાર થાય. 270 પ્રકાર-આમાં કોઈ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતા નિમિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80