________________ અધ્યયન-૨ 289 સિદ્ધિપદને પામશે યાવતું સર્વ દુખનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! યાવતું બીજા અધ્યયનનો નિક્ષેપ આ પ્રમાણે કહ્યો છે. અધ્યયન-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૩-શુક) [5] હે ભગવન્! જો શ્રમણ ભગવન યાવતું સિદ્ધિપદને પામેલા વિગેરે ઉપ કહેવો. રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણીક રાજા હતા.એકદા મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવામાટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે શુક્ર નામનો મહાગ્રહ શુક્રાવતંક નામના વિમાનમાં શુક્ર નામ ના સિંહાસન ઉપર ચાર હજાર સામાયિક દેવ વિગેરે સહિત બેઠો હતો. તે પણ ચંદ્રની. જેમ પ્રભુપાસે આવ્યો અને નાટ્યવિધિ દેખાડીને પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી ગૌતમસ્વામીએ હે ભગવાન ! એમ સંબોધીને આપીને ભગવાનને પૂછ્યું ત્યારે ભગ વાને કૂટકારશાળાનું દ્રષ્ટાંત આપ્યું. ફરીથી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછયો ત્યારે ભગવાન બોલ્યા કે આ પ્રમાણે નિત્યે હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામની નગરી હતી. તે વારાણસી નગરીમાં સૌમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દ્ધિવાળો પાવતુ બીજાથી પરાભવ ન પામે તેવો હતો. તથા ટ્વેદ વિગેરેમાં વાવ, સુપરિનિષ્ઠિત એટલે વિદ્વાન હતો. એકદા ત્યાં પાશ્વનાથસ્વામી સમવસર્યા. તે વખતે નગરમાંથી પર્મદા નીકળીને ભગવાન ની સેવા કરવા લાગી. તે વખતે તે સોમિલ બ્રાહ્મણે આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તેને આ આવા પ્રકારનો આત્માને વિષે વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે પુરુ ષોને વિષે આધનનામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા અનું ક્રમે યાવતુ અહીં આપ્રશાલ નામના ઉદ્યાનમાં આવીને રહ્યા છે. તો હું પણ ત્યાં જાઉં અને પાર્શ્વનાથ અરિહંતની પાસે પ્રગટ થાઉં. તથા આ આવા પ્રકારના અર્થોને, હતને વિગેરેને પૂછું. પછી તે સોમિલ બ્રાહ્મણ વિદ્યાર્થી રહિત એકલો જ નીકળ્યો. માવત ભગવાન પાસે જઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવાન! તમારે યાત્રા છે? તમારે યાપનીય છે? વળી પૂછ્યું કે સરિસવયા, માસા, કુલત્થા ભક્ષ્ય છે? તમે એક છો? વિગેરે પ્રશ્નોના ઉત્તર સાંભળી ભાવતુ તે બોધ પામ્યો. એટલે શ્રાવકધર્મ અંગી કાર કરી પોતાને ઘેર ગયો. ત્યારપછી તે પાર્શ્વનાથ અરિહંત એકદા કદાચિત્ વાણારસી નગરીના આમ્રપાલ નામના ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહારના દેશોમાં વિચ રવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા કદાચિત સાધુના દર્શન નહીં થવાથી અને સાધુની પર્યાપાસના નહીં થવાથી મિથ્યાત્વના પર્યાયો વૃદ્ધિ પામવા લાગ્યા અને સમકિતના પર્યાયો હાનિ પામવા લાગ્યા. તેથી તે મિથ્યાત્વને પામ્યો. ત્યારપછી તે સૌમિલ બ્રાહ્મણ એકદા કદ્યચિત્ રાત્રિના પૂર્વ અને અપર ભાગની વચ્ચે એટલે મધ્ય રાત્રિને સમયે કુટુંબ જાગરીકાએ જાગતો હતો એટલે કુટુંબ સંબંધી ચિંતા-વિચાર કરતો હતો. તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યા ત્મિક એટલે આત્માને વિષે યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિશે હું વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ મોટા 119 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org