Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 96
________________ સૂગ-૧૩૦ ૧૩ મતિજ્ઞાન કહેવાય પણ જ્યારે તે અક્ષર રૂપે રવયં અનુભવ કરે અથવા પોતાનો અભિપ્રાય બીજાને કોઈ પણ પ્રકારની ચેષ્ટાથી બતાવી દે ત્યારે તે અનુભવને અથવા ચેષ્ટા આદિને શ્રુતજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાન સહચારી છે. જીવનો સ્વભાવ એવો છે કે તેનો ઉપયોગ એક સમયમાં એક તરફ જ હોય છે. • સૂત્ર-૧૩/૨ થી ૧૩૨ - [૧૩૦/૨] પન :- અનáર શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્તર : અનાર કૃતના અનેક પ્રકાર કહ્યા છે, જેમકે – [૧૩૧] શાસ લેવો, શ્વાસ મૂકવો, ચૂંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, નાક સાફ કરવું તેમજ બીજી અનુસ્વરાયુકત ચેષ્ટા કરવી. [૧૩] એ દરેક અવાજ અનાર શ્રત છે. • વિવેચન-૧૩/૨ થી ૧૩૨ - અનક્ષકૃત :- જે શબ્દ વર્ણાત્મક ન હોય, કેવળ ધ્વનિરૂપ જ હોય તેને નક્ષરગ્રુત કહેવાય છે. કોઈ વ્યક્તિ પોતાની વિશેષ વાત બીજાને સમજાવવા માટે ઈચ્છાપૂર્વક સંકેતયુક્ત અનક્ષર ધ્વનિ કરે તેને અનરશ્રુત કહેવાય છે. જેમકે - લાંબો લાંબો શ્વાસ લે અથવા શ્વાસ છોડે, છીંક ખાય, ખાંસી ખાય, ઘૂંકે, નાસિકામાંથી અવાજ કાઢે, હંકારા કરે, બીજાને સૂચિત કરવા માટે, હિત અહિત બતાવવા માટે, સાવધાન કરવા માટે, પ્રેમ, દ્વેષ અથવા ભય પ્રદર્શિત કરવા માટે, સ્વયં આવવા જવાની સૂચના દેવા માટે, ફરજ પર પહોંચવા માટે, માર્ગદર્શન માટે જે કંઈ ધ્વનિ અથવા સંકેત કરવામાં આવે તે દરેકને અનક્ષરગ્રુત કહેવાય. ઉક્ત ધ્વનિઓ ભાવશ્રુતનું કારણ હોવાથી તેને દ્રવ્યશ્રુત કહેવાય છે. • સૂત્ર-૧33 પ્રશ્ન :- સંજ્ઞી શ્રત કેટલા પ્રકારનું છે ? ઉત્તર • સંશી ચુત ત્રણ પ્રકારનું છે, જેમકે – (૧) કાલિકોપદેશથી (૨) હેતુ-ઉપદેશથી (3) દૈષ્ટિવાદોપદેશથી. (૧) કાલિકોપદેશથી સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે ? કાલિકોપદેશથી - જેને ઈહા, અપોહ-નિશ્ચય, માણા-અન્વય ધમન્વેિષણ, ગવેષણા-વ્યતિરેક ધમન્વેિષણ, પર્યાલોચન, ચિંતા-કેમ થશે ? એ રીતે પયલિોચન, વિમર્શ-વિચાર થાય તેને સંજ્ઞી કહેવાય છે. જેને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ ન હોય તેને અસંશી કહેવાય છે. સંજ્ઞી જીવોનું શ્રત તે સંજ્ઞીશ્રુત કહેવાય અને સંગી જીવોને જીત તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ કાલિકોપદેશથી સંજ્ઞી અને અસંજ્ઞીકૃત છે. () હેતુપદેશથી સંજ્ઞી કૃત કેવા પ્રકારનું છે ? હેતુપદેશથી જે જીવનું અવ્યકત અથવા વ્યક્ત વિજ્ઞાન વડે વિચારપૂર્વક ક્રિયા કરવાની શકિત-પ્રવૃત્તિ છે તેને સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત જે પાણીની અભિસંધારણ એવી વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ ન હોય તે અસંજ્ઞી હોય છે. આ હેતુ ઉપદેશથી સંજ્ઞી અસંજ્ઞીકૃત છે. ૧૩૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૩) દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે ? દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી સંજ્ઞીકૃત કહેવાય છે. અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ દૈષ્ટિવાદોપદેશનું વર્ણન છે. આ રીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુતનું વર્ણન છે. • વિવેચન-૧૩૩ - આ સત્રમાં સંજ્ઞીશ્રત અને અસંજ્ઞીશ્રુતની પરિભાષા બતાવેલ છે. જેને સંજ્ઞા હોય છે તેને સંજ્ઞી કહેવાય, જેને સંજ્ઞા ન હોય તેને અસંજ્ઞી કહેવાય. સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને શ્રત ત્રણ પ્રકારના હોય છે, જેમ કે – દીર્ધકાલિકોપદેશથી, હેતુ ઉપદેશથી અને દષ્ટિવાદોપદેશથી. (૧) દીર્ધકાલિકોપદેશ :- જેનામાં સમ્યક્ અને વિચારવાની બુદ્ધિ હોય, જે દીર્ધકાલિક વિચારણા કરે એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટે અમુક કાર્ય કેવું થયું, કેવું થશે અને કેવું થઈ રહ્યું છે એવું જે ચિંતન કરે તેમજ વિચાર-વિમર્શ આદિ વડે વસ્તુના તત્વને સારી રીતે જાણી શકે તે સંજ્ઞી કહેવાય. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવ અને નાક જીવ એ બધા મન:૫યતિથી સંપન્ન સંજ્ઞી કહેવાય છે. કેમ કે ત્રિકાળ વિષયક ચિંતા તેમજ વિચાર વિમર્શ આદિ તેને સંભવે. જેમકે તેમાં જ્યોતિ હોય તો પ્રદીપના પ્રકાશથી વસ્તુના તcવની સ્પષ્ટ જાણકારી થઈ શકે છે. એ જ રીતે મનોલબ્ધિ સંપન્ન પ્રાણી મનોદ્રવ્યના આધારથી વિચાર-વિમર્શ આદિ વડે આગળ પાછળની વાતને સારી રીતે જાણી લેવાના કારણે સંજ્ઞી કહેવાય છે. પરંતુ જેને મનોલબ્ધિ પ્રાપ્ત ન હોય તેને અસંજ્ઞી કહેવાય છે. સંમૂછિમ પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય, એ દરેકનો સમાવેશ અસંજ્ઞીમાં થાય છે. કાલિક શબ્દથી અહીં દીર્ધકાલિક અર્થ અપેક્ષિત છે. ઉપદેશ શબ્દ વિચારણાના અર્થમાં પ્રયુક્ત છે. માટે દીર્ધકાલિક વિચારણા કરનાર સંજ્ઞીનું શ્રુત અને તેનાથી વિપરીત અસંજ્ઞીનું શ્રુત એ બંનેને કાલિકોપદેશતી શ્રુતમાં ગ્રહણ કરેલ છે. જેવી રીતે મનોલબ્ધિ, સ્વલા, વાતર અને સ્વપતર અને સ્વપતમ હોય છે એવી રીતે અસ્પષ્ટ, અસ્પષ્ટતર અને અસ્પષ્ટતમ અર્થની પણ પ્રાપ્તિ થાય છે. જેમકે – સંજ્ઞી પંચેન્દ્રિયથી સંમચ્છિમ પંચેન્દ્રિયમાં અસ્પષ્ટ જ્ઞાન હોય છે, તેનાથી ચઉરિન્દ્રિયમાં ન, તેનાથી તેઈન્દ્રિયમાં કંઈક ઓછું અને બેઈન્દ્રિયમાં અસ્પષ્ટતર હોય છે. એકેન્દ્રિયમાં અસ્પષ્ટતમ અર્થની પ્રાપ્તિ થઈ શકે છે. એ બધા સંજ્ઞી જીવો હોવાથી તેનું શ્રત અસંજ્ઞી શ્રત કહેવાય છે. (૨) હેતુ-ઉપદેશ :- હિતાહિત, યોગ્યાયોગ્યની વિચારણા. જે બુદ્ધિપૂર્વક સ્વદેહ પાલન માટે ઈષ્ટ આહાર આદિમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ આહાર આદિથી નિવૃત્તિ પામે તેને હેતુ ઉપદેશથી સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત હોય તેને અસંજ્ઞી કહેવાય છે. આ દૃષ્ટિએ ચાર પ્રસ સંજ્ઞી છે અને પાંચ સ્થાવર અસંજ્ઞી છે. જેમકે ગાય, બળદ, બકરી આદિ પશુ પોતાના ઘરે સ્વયં આવી જાય છે, મધમાખી આજુબાજુમાં

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122