Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ સૂત્ર-૧૨૨ થી ૨૮ ૧૬૯ ૧૩૦ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૨૨ થી ૧૨૮ : વકતા કાયયોગથી ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને વચનયોગથી ભાષારૂપમાં પરિણમાવે છે, ત્યારબાદ કાયયોગથી છોડે છે. પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલોને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત પુદ્ગલોને બીજા સમયમાં છોડે છે. વક્તા દ્વારા છોડેલા શબ્દો દરેક દિશાઓમાં વિધમાન શ્રેણિઓ (આકાશના પ્રદેશોની પંક્તિઓમાં અગ્રેસર થાય છે. કેમકે શ્રેણિના પ્રમાણે જ તેની ગતિ થાય છે, વિશ્રેણિમાં ગતિ થતી નથી. વક્તા જ્યારે બોલે છે ત્યારે સમશ્રેણિમાં ગમન કરતાં કરતાં તેના દ્વારા છોડાયેલા શબ્દો તે જ શ્રેણિમાં પહેલેથી વિધમાન ભાષા વર્ગણાના દ્રવ્યને પોતાના રૂપમાં (શબ્દ રૂપમાં) પરિણત કરી લે છે. આ રીતે તે બન્ને પ્રકારના શબ્દો (મૂળશબ્દો અને વાણિતશબ્દો)ને સમશ્રેણીમાં સ્થિત શ્રોતાજન ગ્રહણ કરે છે. માટે નિશ્રિત શબ્દોનું ગ્રહણ કરવાનું કહેલ છે. આ વાત સમશ્રેણિમાં સ્થિત શ્રોતાજનોની થઈ પરંતુ વિશ્રેણિમાં સ્થિત અર્થાત્ વક્તા દ્વારા જોડાયેલા શબ્દ દ્રવ્ય જે શ્રેણિમાં ગમન કરી રહેલ હોય તેનાથી ભિન્ન શ્રેણિમાં સ્થિત શ્રોતા કેવા પ્રકારના શબ્દોને સાંભળે છે ? કેમ કે વકતા દ્વારા છોડાયેલા શબ્દ વિશ્રેણિમાં જઈ શકતા નથી પછી એ સાંભળે કેવી રીતે ? આ શંકાનું સમાધાન ગાયાના ઉત્તરાર્ધમાં કરેલ છે. તે આ પ્રમાણે છે – વિશ્રેણિમાં સ્થિત શ્રોતા ન તો વક્તા દ્વારા નિઃસૃષ્ટ શબ્દને સાંભળે કે ન તો મિશ્રિત શબ્દોને સાંભળે, તે વાસિત શબ્દોને જ સાંભળે છે. કેમકે વકતા દ્વારા નિઃસૃષ્ટ શબ્દ બીજી ભાષા દ્રવ્યને શબ્દ રૂપમાં વાસિત કરે છે અને એ વાસિત શબ્દ વિભિન્ન સમશ્રેણિમાં જઈને શ્રોતાના વિષયભૂત બને છે, સાંભળવામાં આવે છે. મતિજ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયોની ઉત્કૃષ્ટ શક્તિ આ પ્રમાણે છે – શ્રોબેન્દ્રિયની ઉત્કૃષ્ટ શક્તિ બાર જોજનથી આવેલ શબ્દને સાંભળવાની છે. ગંધ, રસ અને સ્પર્શના પદગલોને ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ શકિત પ્રાણેન્દ્રિય, સનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની નવ જોજનની છે. ચક્ષુરિન્દ્રિયની શકિત લાખ જોજનથી અધિક રૂપને ગ્રહણ કરવાની છે. આ કથન અભાસ્વર (પ્રકાશક) દ્રવ્યની અપેક્ષાએ છે પરંતુ પ્રકાશક દ્રવ્યની અપેક્ષાએ લાખો જોજન દૂરથી દેખી શકે છે. જઘન્ય ચાંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દરેક ઈન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો નીચે પ્રમાણે છે – (૧) ઈહા - પર્યાલોચન, અનુપ્રેક્ષણ. (૨) અપોહ - નિશ્ચય કરવો, સમીક્ષા, ચિંતન. (3) વિમર્શ - ઈહા અને અવાયના માધ્યમથી થનારી વિચારધારા, વિચારણા. (૪) માર્ગણા - અન્વય ધર્મ અનુરૂપ અન્વેષણ કરવું, વિચાર કરવો. (૫) ગવેષણા - વ્યતિરેક ધર્મથી વ્યાવૃત્તિ રૂપ વિચારવું. (૬) સંજ્ઞા - પહેલા અનુભવ કરેલ અને વર્તમાનમાં અનુભવ કરાતી વસ્તુની એકતાનું અનુસંધાન જ્ઞાન. (૩) સ્મૃતિ - અતીતમાં અનુભવેલ વસ્તુનું સ્મરણ કરવું. (૮) મતિ - જે જ્ઞાન વર્તમાનના વિષયને ગ્રહણ કરે છે. (૯) પ્રજ્ઞા - વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન બુદ્ધિ. આ દરેક તવ નામ આભિનિબોધિક જ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જાય છે. જાતિસ્મરણ જ્ઞાન પણ મતિજ્ઞાનનો જ એક પર્યાય છે. જાતિસ્મરણ જ્ઞાની ઉત્કૃષ્ટથી સંજ્ઞીપણે કરેલા પોતાના નવસો ભવોને જાણી શકે છે. • સૂગ-૧૨૯ :પીન :- શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ઉત્તર - સુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાન ચૌદ પ્રકારનું છે. જેમકે - (૧) અક્ષર સુત (ર) અનક્ષર કૃત (3) સંજ્ઞીશ્રુત (૪) સંજ્ઞીશ્રુત (૫) સમ્યફ ચુત (૬) મિયાગ્રુત () સાદિકૃત (૮) અનાદિકૃત (૯) સપર્યાવસિતકૃત (૧૦) અરવિસિતયુત (૧૧) ગમિકકૃત(૧૨) અગમિકથુત (3) ગપવિષ્ટદ્યુત (૧૪) અનંગપવિષ્ટદ્યુત • વિવેચન-૧૨૯ : શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અર્થાત્ શ્રુતજ્ઞાનમાં મતિનો સહકાર અવશ્ય હોય, માટે સૂમકારે મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું વર્ણન કરેલ છે. આ સૂત્રમાં શ્રુતના ચૌદ ભેદોના જે નામ આપેલ છે, તે દરેક ભેદોની વ્યાખ્યા મૂળ પાઠમાં ક્રમશઃ આગળ બતાવવામાં આવશે. વાસ્તવમાં આ ચૌદ ભેદ નથી પરંતુ આ ચૌદ પ્રકારથી વિસ્તારપૂર્વક શ્રુતનું વર્ણન કરવામાં આવેલ છે. સંક્ષેપમાં આ ચૌદમાંથી દરેક બે ભેદમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. છતાં શ્રુતજ્ઞાન સંબંધી વિવિધ પ્રકારની જાણકારી માટે અહીં સાત પ્રકારથી શ્રુતના બે-બે ભેદ કરવામાં આવ્યાં છે. કેમકે અક્ષરદ્ભુત અને અનારકૃત આ બે ભેદમાં ઉપર્યુક્ત બાર ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ શકે નહીં. તે બધા ગહન વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તે માટે આ બાર ભેદોનો ઉલ્લેખ પણ બહુ જ ઉપયોગી છે, આ શ્રુતજ્ઞાન કેવળ વિદ્વાનોને જ પ્રાપ્ત થાય એમ નહીં પરંતુ સર્વસાધારણ વ્યક્તિઓ પણ આ શ્રુતજ્ઞાનના અધિકારી હોય છે. માટે વિવિધ અપેક્ષાઓથી વિવિધ ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. • સૂત્ર-૧૩૦/૧ :ધન :- અક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે ? ઉત્તર + અક્ષરકૃતના ત્રણ પ્રકાર છે, જેમકે – (૧) સંજ્ઞા અક્ષર () જન અક્ષર (3) લબ્ધિ અક્ષર સંજ્ઞા અક્ષર કોને કહેવાય છે ? અક્ષરનું સંસ્થાન અથવા આકૃતિ આદિ, જે ભિન્ન ભિન્ન લિપિઓમાં ભિન્ન ભિન્ન રીતે લખાય છે તેને સંજ્ઞાઅક્ષર કહેવાય છે. જન અક્ષર કોને કહેવાય છે ? અઢાર લજિaધારી જીવને લજિhક્ષર

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122