________________
ભૂમિકા
લેશ્યા, (૩૫) અનગાર માર્ગ અને (૩૬) જીવાજીવવિભક્તિ. આ ૩૬ ઉત્તર અધ્યયનો કહેલા છે. અધ્યયનના નામો કહ્યા, આની નિરુક્તિ આદિ નામ નિષ્પન્ન નિક્ષેપ પ્રસ્તાવ જ કહેશે .
• નિર્યુક્તિ • ૧૮ થી ૨૬ - વિવેચન
પહેલામાં વિનય, બીજામાં પરિષહો ત્રામાં દુર્લભતા, ચોથામાં પ્રમાદપ્રમાદનો અધિકાર છે. પાંચમામાં મરણવિભક્તિ, છઠ્ઠામાં ચારિત્ર, સાતમામાં રસમૃદ્ધિપરિત્યાગ, આઠમામાં અલાભ, નવમામાં નિષ્કંપતા, દશમામાં અનુશાસનોપમા કહેલ છે. ૧૧માં પૂજા, ૧૨માં તપઋદ્ધિ, ૧૩માં નિદાન, ૧૪માં અનિદાન, ૧૫-માં ભિક્ષુગુણો, ૧૬-માં બ્રહ્મગુપ્તિ, ૧૭-માં પાપોની વર્જના, અને ભોગ ઋદ્ધિ, ૧૮-માં વિજહણ, ૧૯-માં અપરિકર્મ, ૨૦-માં અનાહતા, ૨૧માં વિચિત્ર ચર્ચા, ૨૨માં સ્થિર ચરણ, ૨૩-માં ધર્મ, ૨૪-માં સમિતિ. ૨૫-માં બ્રહ્મ ગુણ, ૨૬માં સામાચારી, ૨૭-માં અસઠતા, ૨૮-માં મોક્ષગતિ, ૨૯-માં આવશ્યકપ્રમાદ, ૩૦માં ત૫, ૩૧માં ચાસ્ત્રિ, ૩૨-માં પ્રમાદ સ્થાનો ૩૩માં કર્મ, ૩૪-માં લેશ્યા, ૩૫-માં ભિક્ષુ ગુણો, ૩૬-માં જીવાજીવ કહેલ છે.
આ ધર્મ વિનયમૂલ છે. આગમના સાક્ષીપાઠથી દૃષ્ટાંત વડે કહે છે કે - જેમ મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ, તેમ ધર્મનું મૂળ વિનય છે, તેનાથી અંતે મોક્ષ છે. ઇત્યાદિ. તેથી પહેલાં અધ્યયનમાં વિનય કહેલ છે, વિનયવાનને તે-તે ગુરુનિયોગોમાં વર્તતા કદાચિત પરીષહો ઉત્પન્ન થાય, તે સમ્યક્ પણે સહન કરવા જોઈએ. તેથી બીજા અધ્યયનમાં પરીષહો કહ્યા. ઇત્યાદિ ક્રમ પ્રયોજન જાણવું, તે અધ્યયનના સંબંધ કહેતી વખતે હું જણાવીશ. હવે ઉપસંહાર કરતાં કહે છે -
• નિયુક્તિ • ૨૭ * વિવેચન -
·
ઉત્તરાધ્યયનનો ઉક્ત સમુદાયાર્થ સંક્ષેપમાં કહ્યો. હવે એક એક અધ્યયન વિશેષથી વ્યાખ્યાદ્વાર વડે કહીશ. તેમાં પહેલા વિનય શ્રુત'ની કીર્તનનો અવસર છે. - × તેથી આ અધ્યયનના અનુયોગ વિધાનકુમ અધિકાર કહે છે
-
Jain Education International
**********G
For Private & Personal Use Only
www.jainelibrary.org