Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 376
________________ મત્ત અને ઉન્મત્તદાયકના દોષો (૩૫૫ “ઘરનો આ સ્વામી છે” એમ વિચારી ઘરના નીમાયેલા નવા સ્વામીને ‘વિયત્ત પ્રક્વેષ થાય છે. તે પ્રષ એકની ઉપર એટલે સાધુ ઉપર અથવા વૃદ્ધ ઉપર થાય છે. અથવા તો બન્ને ઉપર થાય છે. //પ૮૦ની હવે (૩) મત્ત અને (૪) ઉન્મત્તને આશ્રયીને દોષો કહે છે : - પૂ. - પ્રવાસ મા (રાય) બેગો, વમળ મસુત્ત નો પરિહા એ છે एए चेव उ मत्ते, वमणविवज्जा य उम्मत्ते ॥५८१॥ મૂલાર્થ આલિંગન, (ઘાત), પાત્રનો ભેદ, વમન તથા અશુચિ છે એમ લોકની ગઈ, આ દોષો મત્તને વિષે છે, તથા વમનને વર્જીને બીજા બધા જ દોષ ઉન્મત્તને વિષે છે. પ૮૧ાા ટીકાર્થ : “મ:' મત્ત (પીધેલ) પુરુષ કદાચિત મત્તપણાએ કરીને સાધુને આલિંગન આપે, તથા કોઈક મત્ત, મદના વશથી વ્યાકુલપણાએ કરીને “અરે મુંડીયા ! તું અહીં કેમ આવ્યો છે?' એમ બોલતો ઘાત પણ કરે, અથવા ભાજનને ભાંગી નાખે, અથવા આપતો સતો કદાચ પીધેલ આસવને (મદિરાને) વમન કરે, અને વમતો સતો સાધુને કે સાધુના પાત્રને ખરડે. તેથી કરીને લોકમાં જુગુપ્સા (નિંદા) થાય કે - આ અશુચિ (અપવિત્ર એવા) સાધુઓને ધિક્કાર છે, કે જેઓ મત્તથકી પણ આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરે છે. તેથી કરીને આ પ્રમાણે જે કારણથી મત્તને વિષે અવયાસ (આલિંગન) આદિ દોષો છે તે કારણથી તેની પાસેથી ગ્રહણ કરવું નહિ. આ જ આલિંગનાદિ દોષો એક વમનને વર્જીને ઉન્મત્ત (ઉન્માદી)ને વિષે પણ જાણવા. તેથી તેની પાસેથી પણ ગ્રહણ કરવું નહિ પ૮૧૧ હવે (૫) વેપિત અને (૬) જવરવાળાને આશ્રયીને દોષો કહે છે : म्.०- वेविय परिसाडणया, पासे व छुभेज्ज भाणभेओ वा ॥ एमेव य जरियम्मि वि, जरसंकमणं च उड्डाहो ॥५८२॥ મૂલાર્થઃ વેપિતથી ગ્રહણ કરતાં તે વસ્તુનું પરિશાટન થાય છે, અથવા પાત્રની પડખે તે વસ્તુ પડી જાય છે, અથવા પાત્રનો ભંગ થાય છે. એ જ પ્રમાણે જ્વરિતને વિષે પણ દોષો કહેવા. વળી જવરનો સંક્રમ થાય અને ઉડાહ પણ થાય. //૫૮રા ટીકાર્થઃ વેપિત (કંપતા) દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરતાં દેવાની વસ્તુનું પરિશાટન (પડી જવું) થાય છે. અથવા ‘પળે' સાધુના પાત્રની બહાર ચોતરફ દેવાની વસ્તુ ખરડે, અથવા જે થાળીતપેલી આદિ ભાજન વડે ભિક્ષાને લાવે છે, તે ભાજનનો ભૂમિ પર પડી જવાથી ભેદ થાય છે – ફૂટી જાય છે. એ જ પ્રમાણે જવરવાળાને વિષે પણ દોષો કહેવા. વળી વરિત પાસેથી ગ્રહણ કરતાં સાધુને જવરનો સંક્રમ પણ થાય છે. તથા લોકને વિષે ઉદ્દાહ થાય કે – “અહો ! આ સાધુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434