Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જમાનામાં આજના જેવી વાહનવ્યવહારની સુવિધા ન હતી. ર00 વર્ષ પહેલાં આ પત્ર લખાયો છે, તે વખતે ટપાલની પણ સગવડ ન હતી; ખેપિઆ મારફત એકાદ મહિને માંડ પત્રોત્તર બની શકતો. આવી પરિસ્થિતિમાં લાંબે ગાળે જ્યારે ખેપિયો અધ્યાત્મરસિક સાધર્મીનો પત્ર લઈને આવતો હશે ત્યારે તે પત્ર હાથમાં આવતાં જ જિજ્ઞાસુઓ કેવા આનંદિત થતા હશે! સાધર્મીનો પત્ર પ્રાપ્ત થતાં લખે છે કે “ ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે. અહા, સ્વાનુભવની ચર્ચા કરે તેને પણ ધન્ય કહ્યા, તો જેઓ સ્વાનુભવરૂપે સાક્ષાત્ પરિણમ્યા છે–સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે–એવા સંતના મહિમાની શી વાત ! અને એવા સંતોનો સાક્ષાત્ સમાગમ તથા તેમના ચરણની સાક્ષાત્ ઉપાસના, ને તેમની વાણીનું સાક્ષાત્ શ્રવણ આપણને મળ્યું, –કેવા ધન્ય ભાગ્ય !! પં. શ્રી ટોડરમલ્લજી પત્રમાં છેલ્લે લખે છે કે “જ્યાં સુધી મળવું થાય નહિ ત્યાં સુધી પત્ર તો શીઘ્ર જ લખ્યા કરો. સ્વધર્મીને તો પરસ્પર ચર્ચા જ જોઈએ.” આ ઉપરથી સાધર્મીનો સમાગમ કેટલો દુર્લભ હતો, ને તેના પત્રની કેટલી ધગશ રહેતી, તેનો ખ્યાલ આવે છે. તે વખતે બેલગાડીનો ને ઊંટનો યુગ હતો, આજે વિમાનનો ને રોકેટનો યુગ છે. આજે તો ભારતના એક છેડેથી બીજા છેડે થોડા જ કલાકમાં હવાઈ - મુસાફરીથી પહોંચી જવાય છે, હજારો ગાઉ દૂર બેઠા બેઠા પણ ટેલીફોનથી સીધી વાતચીત થઈ શકે છે તે વખતે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જતાય બેલગાડીમાં અનેક મહિના લાગી જતા; સંદેશની આપ-લે પણ લાંબા ગાળે થઈ શકતી. એટલે એ વખતે સાધર્મીના મિલનનો કે સાધર્મીના અધ્યાત્મ-સંદેશની પ્રાપ્તિનો જે અનેરો આફ્લાદ જાગતો તેનો ખ્યાલ અત્યારના યુગમાં આવવો મુશ્કેલ છે. ગુરુદેવના હાથમાં જ્યારે પહેલવહેલી આ ચિઠ્ઠી આવી અને તે તેમણે વાંચી, કે તરત તેમને આફ્લાદ થયો કે વાહ! આવી ચિઠ્ઠી ! એની કિંમત શું થાય? જ્ઞાનના અર્થીને તેની ખરી કિંમત થાય. અહો, આમાં તો જાણે હીરાનાં કણ ભર્યા છે! તે વખતે (૪૦ વર્ષ પહેલાં) પણ આવા સાહિત્યની પ્રાપ્તિ દુર્લભ હતી. જે પત્રના જવાબરૂપે પંડિતજીએ આ ચિઠ્ઠી લખેલ છે તે પત્ર સીધો પં. ટોડરમલ્લજી ઉપર લખાયેલો નથી, પરંતુ મુલતાનના ભાઈઓએ જહાનાબાદના રામસિંહ ભવાનીદાસજી ઉપર પત્ર લખેલ, તેને બીજા સાધર્મીઓ સાથે વાત થયેલ, અને તે બીજા સાધર્મીઓએ જહાનાબાદથી ૫. ટોડરમલ્લજીને જયપુર લખેલ; એટલે મૂળ પત્ર લખાયા પછી ફરતો ફરતો ત્રીજી ભૂમિકાએ પંડિતજીને મળેલ છે; ને પંડિતજીએ તેના ઉત્તર સીધા મુલતાનના ભાઈઓને લખ્યા છે; (જો કે જહાનાબાદના ભાઈઓ ઉપર પણ જુદો પત્ર તેમણે લખ્યો જ હશે;)- આ રીતે મુલતાનના ભાઈઓને પોતાના પત્રનો ઉત્તર મળતાં સહેજે બે ત્રણ માસ વીતી Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 246