Book Title: Adhyatma Kalpdrum Author(s): Tattvaprabhvijay Publisher: Jinprabhsuri Granthmala View full book textPage 8
________________ સંધિ :- ઉચ્ચારણ - પરિવર્તન અને લિપિ બોલનારનાં મુખથી જ્યારે કંઇ પણ બોલાય છે ત્યારે જે બે કે વધુ સ્વર + ધ્વનિઓ વચ્ચે નિયતસમય = માત્રાનું અંતર રાખવું પડે છે. કુદરતી રીતે એ અંતર જળવાય પણ છે. જેથી સાંભળનારને સ્પષ્ટ સંભળાય છે અને સ્પષ્ટ સમજાય છે. હવે આ બોલવાની પ્રક્રિયા દરમિયાન, જો બે ધ્વનિઓ વચ્ચે નિયતસમયમાત્રામાં ઘટાડો થાય - બોલનારને વાતની સમજ પડી ના હોય, કે બોલનાર અશક્ત, બિમાર કે શ્રમિત હોય – તો બોલતાં બોલતાં સમયમાત્રામાં ઘટાડો શક્ય છે. ત્યારે તે ધ્વનિઓ સંકળાઇને બોલાય છે. તેવી જ રીતે સંકળાઇને જ સંભળાય છે – ત્યારે અર્થ સ્પષ્ટ થતો નથી આ અશુદ્ધ ઉચ્ચારણ છે, પરંતુ બોલનાર વ્યક્તિ ધ્વનિઓ વચ્ચે નિયત સમયનું અંતર સમજણ પૂર્વક ન રાખે તો ધ્વનિઓ સંકળાઇને સંભળાય છે છતાં અર્થ સ્પષ્ટ સમજાય છે - ત્યારે શાસ્ત્રીય પરિભાષામાં ‘સંધિ’ કહે છે - સંધિ શબ્દ સંસ્કૃતભાષામાં ‘સમ્ + ધા ધાતુને [+] રૂ પ્રત્યય લાગીને બનેલ છે. જેનો અર્થ ‘સંધાન’ સાંધો જોડાણ થાય છે. = આવા ધ્વનિસંધિ સાર્થક હોય અને શિષ્ટમાન્ય બને ત્યારે તેનો નિયમરૂપે સંગ્રહ થાય છે તેને સંધિનાં નિયમો કહે છે. શબ્દોમાં સ્વર અને વ્યંજન એ ધ્વનિઓ બે પ્રકારે છે. એટલે પરસ્પર સંધિ ચાર રીતે થાય છે. ૧. સ્વર + પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન. ત્યારે કોઇ ઉચ્ચારણ ન બદલાય. ૨. સ્વર + સ્વર. ત્યારે સ્વરને કારણે પૂર્વસ્વરનું ઉચ્ચારણ બદલાય ૩. પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + સ્વર. ત્યારે સ્વરને કારણે અપૂર્ણવ્યંજન પૂર્ણ બોલાય. ૪. પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + પૂર્ણ કે અપૂર્ણવ્યંજન. ત્યારે પૂર્ણ કે અપૂર્ણ વ્યંજનનું ઉચ્ચારણ બદલાય.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 398