Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir

View full book text
Previous | Next

Page 169
________________ SUNDAY 9TH MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વધશાખ વદ ૧૧ રવિવાર તા. ૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૨૪ જમાદીલાપર સને ૧૯૩૩ ઉ. ૫-૩૪ અ. ૬-૬ પા. ર. ૩૦ અબાન સને ૧૯૨૪ આત્તરસેવા ભાવના - (સ્વગત). ગામેગામે નગર નગરે સર્વ જીવો પ્રબોધું. દેશોદેશે સકલ જનના દુઃખના માર્ગ રોધું. સેવામેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે. સેવું ફર્ષે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. – ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંએ. હેવું એવું જગ શુભ કરું કો ન રહે દુઃખડાંએ. આત્મોલ્લાસે સતત બલથી સર્વને શાન્તિ દેવા. ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વ સેવા. – ૨ સર્વે જીવો પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં. સર્વે જીવો નિક્સમ ગણી પ્રેમ સૌમાં ધર્યામાં. સેવા સાચી નિશ દિન બનો સર્વમાં ઈશ પેખી. સૌમાં ઐક્ય મન વચ થકી શ્રેષ્ઠ સેવા જ લેખી. - ૩ મહારું સૌનું નિજ મન ગણી સર્વનું તેહ મહારું. સેવા સાચી નિશદિન કરું પ્રેમથી ધારી પ્યારું. સેવા યોગી પ્રથમ બનશે સેવના મિષ્ટ વ્હાલી. એમાં શ્રેય : પ્રગતિ બળ છે આત્મભોગે સુપ્યારી. – ૪ સેવા મંત્રો નિશદિન ગણી દુઃખીનાં દુઃખ ટાળું. સેવા તંત્રો નિશદિન રચી દુઃખ સૌનાં વિદારું. સેવા યન્ત્રો પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું. હારું હારું સહુ પરિહરી સેવનામાં જ માચું. – ૫ સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયોગે. સેવા વાટે નિશદિન વહું રાચીને આત્મભોગે. થાવું મારે પ્રગતિ પથમાં સર્વનો શ્રેયકારી. એવી શક્તિ મમ સહમળો યોગ માર્ગે વિહારી. – ૯ સ્વાર્થોનાં સૌ પડળ ટળતાં સર્વ સેવા કરતાં. આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં. સેવાના સી અનુભવ મળો બન્ધનો દૂર જાઓ. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં સેવના છો કરાઓ. – ૭ “ભારતમાતા ! તારા સંતાનો ક્યારે શ્રી મહાવીરની માફક પિતૃવત્સલ, માતૃવત્સલ થવાને ભાગ્યશાળી થશે ? તારાં સંતાનોમાં મહાવીરની અચળ પ્રતિજ્ઞા હૃદયપટ પર સોનેરી અક્ષરે સદાને માટે લખાયેલી હોવી જોઈએ.”

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201