Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 14
________________ આરસીતીર્થ આરાસણ છે. ઉત્તર તરફ દેવકુલિકાઓને બદલે ગોખલાઓ કર્યા છે. અહીંની દેવકુલિકાઓમાં રહેલાં પબાસણના સં. ૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના લેખમાં મંદિરને વીરનાથ ચૈત્ય કહ્યું છે. અને સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯) તેમજ સં૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના એક અન્ય લેખમાં મંદિરને સંઘચૈત્ય કહેલું હોઈ મંદિર કોઈ એક વ્યક્તિનું નહીં પણ આરાસણના સંઘના શ્રાવકો દ્વારા બનેલું છે એવો ભાવ નીકળે છે. કેટલાક વિદ્વાનો આ મહાવીર મંદિરને વિમલવસહી અને એથી એને અસલનું આદિનાથનું મંદિર ગણાવે છે : પણ આ વાત અભિલેખોથી સિદ્ધ થતી નથી. મંદિર આરાસણના સંઘે કરાવેલું. વળી તેમાં હરિનેગમેષનાં રૂપો કંડારેલાં હોઈ, પહેલેથી જ એ વીરજિનનું મંદિર હતું, અને તેની રચના સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)માં થયેલી હતી. (૨) શાંતિનાથનું મંદિર (પ્રાચીન આદિનાથ જિનાલય : વિમલવસહી) * મહાવીર સ્વામીના મંદિરથી વાયવ્યમાં વર્તમાને શાંતિનાથનું કહેવાતું મંદિર આવેલું છે: (ચિત્ર-૩). મંદિરનું તલ-આયોજન એકંદરે મહાવીર સ્વામીના મંદિરને મળતું આવે છે. પણ મંદિર તેનાથી થોડુંક નાનું છે અને અહીં મુખમંડપને બદલે મુખચોકી કરેલી છે. મહાવીર સ્વામીના મંદિરનો મૂલપ્રાસાદ લગભગ ૧૭/૨ ફીટનો છે, જ્યારે અહીં મૂલપ્રાસાદ પંદરેક ફીટનો છે. એનું શિખર સુડોળ અને જાલાભૂષિત છે : (ચિત્ર-૧૬). ગર્ભગૃહ(ગભારા)માં શાંતિનાથની કહેવાતી (૧૭મા શતકની) પ્રતિમા છે, પણ અગાઉ જોઈ ગયા તેમ, પબાસણના લેખમાં તે મૂળ પાર્શ્વનાથની હોવાનું અને તે પણ મહાવીર સ્વામીના મંદિરમાં (કોઈ દેવકુલિકા કે ખતકમાં) પ્રતિષ્ઠિત હોવાનું કહ્યું હોઈ, આ મંદિર અસલમાં શાંતિનાથનું નહીં પણ આદિનાથનું હતું તેમ આ પહેલાં કહેવામાં આવ્યું છે અને તે અંગે વિશેષ પ્રમાણો આગળ ઉપર જોઈશું. મંદિરનો ગૂઢમંડપ સાદો છે, તેને માથે સંવરણા (સામરણ) કરી છે તે મહાવીર સ્વામીના ગૂઢમંડપ પરની સંવરણા જેટલી ઘાટ-સભર નથી. પ્રસ્તુત મંદિરના ગૂઢમંડપની જેમ અહીં મુખ્ય દ્વાર ઉપરાંત પૂર્વ-પશ્ચિમમાં પણ દ્વારા કરેલાં છે, જેના સૂત્રે જગતના કોટમાં પણ દ્વારા કરેલાં છે. (પશ્ચિમ દ્વારને, આગળના મંદિરની જેમ, ચોકીયાળું પણ કર્યું છે.). ગૂઢમંડપનું મુખ્ય દ્વાર અલંકૃત છે, અને તેની આજુબાજુ ખત્તકો કરેલાં છે. છચોકીના પડખામાં જાધ્યકુંભ (જાડંબો), કર્ણક (કણી), અને ગ્રામપટ્ટીવાળી ઓપદાર પીઠ કરી છે, અને તેના મુખ્ય ભાગમાં રાજસેન અને અલંકૃત વેદિકા વગેરે કર્યા છે. છચોકીમાં મુખચોકી ન કરતાં બધી જ ચોકીઓ પીઠ પરના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54