Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 292
________________ ૨૭૯ મુખે સાંભળવી. ૩૧. ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરીયાતો ઘટાડવી એ સાધુતાની સફલતા છે. ૩૨. મરણ કયારે? તેનું કંઈ ધોરણ નથી, માટે શુભ જ વિચારોને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. હતો ૩૩. આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈન જવું. પણ તેમજ નિંદા સાંભળી ક્રોધ ન કરવો. મિ ૩૪. “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને ીિ બરાબર દઢ રીતે કેળવી સંયમ, જ્ઞાન, ધ્યાન અને તપની આ પ્રવૃત્તિમાં વીર્યોત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. બો ૩૫. સંયમાનુકૂલ કોઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન હક બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તો પણ વિચારોથી કાયર કદી ન બનવું. કરી ૩૬. આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો ડાકૂ છે, તે આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઇન્દ્રિયો કહે તેમ ન Sિ કરવું-પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૩૭. મધુર ખાવાની સારી ચીજો કે જોવા લાયક સુંદર હત પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. | ૩૮. પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાનો વિજય એ - સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ. ૩૯. વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ તે

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302