Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 464
________________ (૪૧૦) વિશેષપણું નથી.”) સદાચારી બધાને ગમે છે. સદાચાર સેવવા પણ ધર્મ આત્મામાં છે તે સમજમાં રાખવું. એક બાઈ હતી. સામાયિક લીધું હતું. શ્રી વ્યાખ્યાન વાંચતા હતા. છોકરાઓની તકરાર થઈ. તે તેણે સાંભળ્યું એટલે તે ઊઠીને શ્રીને કહે – આ તમારું સામાયિક – એમ કહી પોતાના છોકરાનું ઉપરાણું લીધું અને બીજાને મારવા દોડી. શ્રી :- સામાયિક આવું હોતું હશે ? સમજ, સમતા છે ત્યાં સામાયિક છે. વ્રતનિયમ કરવા – તેથી પુણ્ય બંધાય છે પણ સમજીને કરે ફળ જુદું આવે છે. સમકિતી નોકરને ઠપકો આપે કે નહીં ? બધાએ જવાબ આપ્યો – “હા” પણ તેની સમજમાં ફેર હોય. શ્રી - આ બધું કર્મ છે. નિમિત્તથી ક્રોધ થાય પણ તે બધું કર્મ છે. તેવી સમજ સમકિતીની હોય. (બીજો દાખલો) રાજાએ બધાને પૂછ્યું :- કોઈ થપ્પડ મારે ને મુંછ ખેંચે તો શું શિક્ષા કરવી? પ્રધાન સમજુ – તેણે કહ્યું – “તેને રાજ આપવું” (પ્રધાન સમજી ગયા હતા કે કુંવરને ઉદ્દેશીને રાજાએ પ્રશ્ન પૂછ્યો હતો તેથી તેણે કહ્યું “રાજ આપવું.”) તે બધું રાગમાં સમાય, રાગ તે કર્મ છે. (બીજો દાખલો) એક શેઠના છોકરાએ તેના બાપાની પાસે રમકડું માગતાં, તેના બાપાની પાસે ખત હતું તે ફાડી નાખ્યું. શેઠ છોકરા ઉપર ગુસ્સે ન થતા, ઊઠીને રમકડું અપાવી આવ્યો. વિનય-સમતા-ક્ષમા તે કરવું. (પ્રશ્ન) સ્વર્ગ, નર્ક, છે કે કેમ ? અશુભ અધ્યવસાય તે નરક ગતિ. શુભ અધ્યવસાય તે સ્વર્ગગતિ. શ્રીએ કહ્યું:- પ્રમાણથી વાત થઈ શકે છે. (ત્રણ પ્રમાણ છે) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા. કોઈ માણસ કહે કે મને ઢોર જેવું દુઃખ છે તે ઉપમાથી. આ બધા પર્યાય છે. પર્યાયદષ્ટિ ફેરવવાની છે. “માત્ર દષ્ટિ કી ભૂલ હૈ” સ્યાદ્વાદમાં જે દષ્ટિથી જુએ તે દષ્ટિથી

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502