Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 62
________________ જેનેનું કર્તવ્ય આપવા બાબતનો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તા. ૧૫-૮-૪૭ ના રોજ મુંબઈ લાલબાગના ઉપાશ્રયમાં પૂ. પા. મુનિરાજશ્રી કનકવિજયજી મ. શ્રીની નિશ્રામાં મળેલી જેની જાહેર સભા મજકુર હરિજનપ્રવેશ બીલથી પ્રજાની શાંતિમાં, ભાઈચારામાં, ધર્મસ્થાનોની વર્તમાનની અને ભવિષ્યની વ્યવસ્થામાં અને પ્રજાના સ્વાતંત્ર્યમાં ઘણું નુકશાન થશે એમ માને છે. અને તેથી તેને વિરોધ કરે છે. સાથે હરિજન મંદિર પ્રવેશ બીલને પાછું ખેંચી લેવા મુંબઈ સરકારને ભલામણ કરે છે. ઠરાવ ૩ જે. પરદેશી સરકારે સ્થાપેલ કતલખાનાઓ હિંદની ભૂમિ ઉપરથી, રાષ્ટ્રીય સરકાર હવે કોઈપણ રીતે બંધ કરી અશરણ પશુઓને સંરક્ષણ આપશે, એમ આ સભા આશા રાખે છે. તથા ગાય આદિ નિર્દોષ પશુઓની કતલ હંમેશને માટે બંધ ' તાત્કાલિક કરાવશે. અને સરકારે આઝાદી ઉત્સવના જાહેર કરેલા તા. ૧૫–૧૬-૧૭ મી ઓગસ્ટના ત્રણ દિવસ દર વરસે સમગ્ર હિંદમાં (અમારી પ્રવર્તન) નિર્દોષ જીવોની હિંસા કોઈપણ ના કરી શકે તેવી વ્યવસ્થા કરાવવી એમ આ સભાની આગ્રહપૂવર્કર ની માંગણી છે. (આ ત્રણ ઠરાવે સભામાં સર્વાનુમતે “શ્રી કેશરીયાજીની જય” “શ્રી મહાવીરસ્વામી ભગવાનની જય” ને “શ્રી શાંતિનાથની જય” પૂર્વક પસાર થયા હતા. ત્યારપછી, પૂ. મહારાજશ્રીએ પિતાના વ્યાખ્યાનને ઉપસંહાર કરતાં, આ ઠરાના સમર્થનમાં ફરમાવ્યું હતું કે, આપણું આજની લડતનો મુદો તમે જોયું હશે કે, શ્રી કેશરીયાજી તીર્થને અંગે આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74