Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 71
________________ : ૬૯ : જેનેનું કર્તવ્ય થયા છે, તેને જ મેં અહિં તમારી સમક્ષ મૂક્યા છે, માટે કોઈના પ્રત્યે અંધશ્રદ્ધાળુ બન્યા વિના, આ વસ્તુને યથાર્થપણે સમજવી ઘટે છે. સમજુ માણસે, કદાચ બહારના ટોળા ભેગા થઈ જાય, પણ ટોળું ન બને. એ હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરતાં શીખે તે જ આજના વિષમકાલમાં તે આત્માઓ પિતાના ધર્મમાં સ્થિર રહી શકશે. માટે જ આપણે ફરી ફરી આજની કોંગ્રેસ સરકારને આગ્રહપૂર્વક કહીશું કે, આજે જે સત્તા તમે હાથ કરી છે, તેને ટકાવી રાખવી હોય, અને તમારે જો લોકપ્રિય બનવું હોય તો કોઈ પણ બળવાન કે નિર્બળ કેમના ધર્મમાં કે ધર્મસ્થાનમાં અનુચિત હસ્તક્ષેપ નહિં કરતા, નહિંતર તમારી કપ્રિયતા જોખમાશે. શ્રદ્ધાળુ જેને એ પણ સ્વાર્થ, સંકુચિત દૃષ્ટિ, ઈર્ષા, કુસુંપ આ બધા દુર્ગણોને દેશવટે દેવે પડશે. તે જ આ અવસરે તેઓ પિતાના અસ્તિત્વને ટકાવી શકશે. પૂર્વકાલ કરતાં વર્તમાનકાલ ઘણો જ વિષમ છે. જે સંપ કેળવશે, ઉદાર, પ્રમાણિક, ને ધર્મને વફાદાર હશે તે સમાજ પિતાના ગૌરવને જાળવી શકશે. મુસલમાન કેમનું ઉદાહરણ આપણી નજર હામે છે. એમને ધર્મ કે છે, એની સાથે આપણને સંબંધ નથી. છતાં તે લોકોમાં સંપ, ભાઈચારો ને ઐક્યતા એટલી બધી સગીન છે કે આમ પરસ્પર તે લેકે ગમે તેટલું લડે પણ કામ કે મઝહબને પ્રશ્ન આવ્યું એટલે એ બધા એક. ગમે તે રાષ્ટ્રવાદી મુરલીમ હશે, કાંગ્રેસમાં જોડાયે હશે, કે મહેટા હેદ્દા પર હશે તો પણ એની કોમને એ વફાદાર રહેશે. એક જ તાજો દાખલે આપું – મધ્યપ્રાંતમાં કોગ્રેસ સરકાર સત્તા પર છે. ત્યાંના વડા પ્રધાન રવિશંકર શુકલે ભાષણ કર્યું હશે કે “ પાકીસ્તાનમાં મુસ્લીમે હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74