Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 188
________________ ૫૭, સરપના દરમાં વાટેલી રાઈ નાખે, તે, સરપ માં બાગે ત્યાં મરે છે. ૫૮, બકરીના પંડાનો ધુમાડો દેવાથી સર૫ ભાગી જાય છે. ૫૯, રીસામણીને મુલને ઝીણું વાટીને બંને હાથમાં લેપ કરે, પછી મુજ હાથમાં બાંધીને સરપ પકડે, તે, તેને સરપ કરડે નહીં. ૬૦, વજ, હીંગ, વાટીને બંને હાથમાં લેપ કરીએ, પછી સરપને પકડીએ તે, કરડી શકે નહીં. ૬૧, વજ વાટીને અગ્ની ઉપર ધુણ કરીએ, તેથી સર ભાગે છે. ૬૨, ગળાનું મુળ લાવીને સનમુખ ગળે બાંધીએ તો સર૫ ભય મટે છે, તે કરડી શકે નહીં ૬૩, અરીઠા શેર ૧, તેને કલીયા સુધાં ખાંડીને તેને કાચના સીસામાં ભરીને તે શીશાને મોઢામાં જસતની પાળી સુંગળી ભરીને તેને વાલેથી ખુબ મજબુત કરીને પછી તે શીશાને માથે મેટની કપડા મટી કરીને તેનું તેલ કાઢવું, તે તેલ, સરપ તથા વિહુના ડંક ઉપર લગાવીને, આંખમાં આંઝીને ઉપર પાણી છાંટવું, તેથી તુરત તેનું ઝેર ઉતરી જાશે, વીછી સારૂ આઝવું નહીં. ૬૪, હોકાના મેરને ગુલ અથવા તે નળીને મેલ, આંખોમાં આંઝવાથી સરપ ઝેર ઉતરે છે, અને તે પાણીમાં નાંખી સર૫ ઉપર નાંખે તે, તે મરે છે. * વીછીને ઉતાર–૧, વીછુ તથા ભમરીના ડંખે ડુંગળીનો રસ ચોપવાથી આરામ થાઓ છે. ૨, કાલી તુલસીના પાન વાટી કંખ ઉપર ચોપડવાથી વીછીને ઝેર ઉતરે છે. ૩, વછનાગ ઘસીને ડંખ ઉપર ચોપડવાથી વીછીને ઝેર ઉતરે છે, ૪, સુકા રતાળ ઘસીને ચેપડવાથી વીછીનો ઝેર ઉતરે છે. ૫, ખરસાડી (ર)નું દુધ પડવાથી વીછીનો ઝેર ઉતરે છે. ૬, કંથારના પાંદડાં ચાવી રસ ઉતારી જવાથી આરામ થાએ છે. - ૭, જવ દાણું ચલમમાં પીવાથી આરામ થાઓ છે. ૮, ખડના ફીસીઆની ધુણી ડખે દેવી, ને તે ઉપર કોકા જુએ, તે, આંકડો નીકળી જાએ. ૯, મેરપીંછ, બાજ, સોપારીને ભુકે, એ ત્રણ, ખાંડીને ચલમમાં ધુંવાડે પીએ તે પીડા મટે છે. ૧૦, લસણ, મુલાને રસ, પંખ ઉપર લગાડવાથી ઉતરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202