Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 10
________________ [ ૨૦ ] જેના પિતે વ્યાજે રાખતા થઈ ગયા છે અને ગુરુપૂજનના પૈસા ગુરુ વિયાવચ્ચ ખાતે ખતવવાની પ્રવૃત્તિ વધી રહી છે, ત્યારે “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આ પુસ્તિકાનું સર્વજનેપકારી સંપાદન-સંકલન કરીને સુપ્રસિદ્ધ વક્તા પ્રશાંતમૂર્તિ સિદ્ધહસ્ત સાહિત્યકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજે જૈન જગતને મહત્વનું અને મનનીય એક માર્ગદર્શન આપ્યું છે એમ અતિશયોક્તિ વિના કહી શકાય! - આ પુસ્તિકાના સંપાદન-સંકલનમાં પૂ. આચાર્ચદેવ શ્રીએ, ભારતભરના સંઘને એક મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવાની એકમાત્ર કલ્યાણ-કામનાથી કુશળતાભરી જે મહેનત લીધી છે-એ તે આનું સાંગોપાંગ વાચન કરનાર જ સમજી શકે! એઓશ્રીના શિષ્યરત્ન શ્રુતપાસક પૂ. ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી મહારાજની પ્રેરણાથી ઉદભવેલી સંસ્થા “શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર પાટણ” આ પુસ્તકના પ્રકાશનમાં નિમિત્ત બને છે, એ આનંદની વાત છે. સંસ્થાએ આજ સુધી પ્રગટ કરેલા પુસ્તકોની પરંપરામાં આ પુસ્તક, સર્વોપકારી સાહિત્યને વધુ ઉમેરો કરે એવું છે. મહત્તવનું અને મનનીય માર્ગદર્શન પૂરું પાડતા આ પુસ્તકના સંપાદન-સંકલન બદલ જૈન સંઘ, પ્રશાતમૂર્તિ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 164