________________
૩૮૬ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૮
એ છાપ ચાલુ રાખવી છે કે જગતમાં છે. બીી નથી. મારે એ છાપ શા માટે ભૂંસવી જોઈએ?”
કરતાં મહાન પુરુષ બીજે કે જે
X
કલાકાર કેનવા સ્વરૂપવાન ઈટાલિયન શાહજાદી બગેસની આરસ-પ્રતિમા ઘડતો . હતે. એ પ્રતિમાને સગાસંપૂર્ણ બનાવવાને શાહજાદી હમેશાં કલાકારની સામે કલાક સુધી નગ્નસ્થિતિમાં બેસતી.
એક ચારિત્રસંપન્ન ઉમરાવજાદીને આ સમાચાર મળતાં તેણે શાહજાદીને પૂછયું, “પણ તમે નગ્નસ્થિતિમાં એક મિનિટ પણ બેસી શી રીતે શકો છો?”
એમાં આમ ગભરાવાની કશી જરૂર નથી,” બસે હાસ્ય વેરતાં કહ્યું, “મારે બંને પડખે હું સળગતી સગડીઓ રાખીને જ બેસું છું.”
- કાશ્મીરના બહુમૂલ્ય કેશરની ૨૧૬ ગુણ ભરી એક શ્રીમન્ત વેપારી દેશવિદેશમાં ફરતો હતો. એક જ વ્યક્તિ જ્યાં બધું કેશર ખરીદી લઈ શકે ત્યાં જ તે વેચવાની તેની પ્રતિજ્ઞા હતી. વખત જતાં તે અવંતી જઈ પહોંચ્યા.
અવંતીને પાદર તેને એક વણિક મળે. તે વણિકને તેણે પિતાની હકીકત જણાવી.
“ઓહ, એમાં કઈ મહત્વની વાત છે?” વણિકે શાંતિથી કહ્યું. ને પછી ઉમેર્યું, હું એ બધું જ કેસર ખરીદી લઉં છું. નાણું તમે મારી પેઢી પરથી તરતજ લઈ જઈ શકે છે,”
ને કેશરને વેપારી જ્યારે પેઢી પર નાણું ગણુ હતા ત્યારે તેના એક માણસે તેને ખબર આપી કે કેશરની બધી જ ગુણ વણિકનું નિવાસમંદિર બાંધવાને જ્યાં ચૂનાની ચી ચાલતી હતી ત્યાં ચૂનાની સાથે ભેળવી દેવામાં આવી હતી.
હાથની બંગડીઓ વેચી માતા ભગવતીદેવીએ ભૂખ્યા અતિથિ જમાડ્યા. પુત્રના હૃદય પર આ કૃત્યની અદ્દભુત અસર થઈ. તે આપમેળે વિકાસ સાધી ઉચ્ચ પદવીએ પહોંચ્યો. માને પૂછયું, “માતા, હવે તમારા અલંકાર પાછો ઘડાવીશું ?”
' “બેટા” માતાએ પુત્રના મુખ પર વાત્સલ્યભર્યા નયન ઠેરવી કહ્યું, “મારે ત્રણ અલંકાર જોઇએ; અભણોને કેળવવાને નિશાળ; રોગીઓને નિરોગી બનાવવા દવાખાનું; ભૂખ્યાઓનાં પેટ સંષવા અન્નશાળા.”
ને પુત્ર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરે એ ત્રણે કાર્યો પાર પાડી માતાની ઈચ્છા સંતોષી.
અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધમાં એક પ્રસંગે શિગ્ટનની ટુકડી પાસે એક પણ તોપ ન રહી. શિંગ્ટને યુક્ત વાપરીને તરતજ લાકડાની સંખ્યાબંધ તે બનાવરાવી લીધી, અને તેને સૈન્યના આગળના ભાગમાં ગોઠવી. અંગ્રેજ સેનાપતિ રીગ્લી એટલી બધી તે જોઈ દૂરથીજ નાસી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com