Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 53
________________ ગ્રન્થપરિચય “૯૫ સઢ સહુ ફાટયા-સુકાન તૂટયું-જહાજ ફૂટયું- જીવન ખૂટયું: કરી દે તુજ મહેમાન રે ! એ મારા કપ્તાન !એ ભવાટવીમાં ભટકતે પથિક તે પ્રભુના સાદની જ રાહ જુએ છે-- સાદ કરીને મોહેલે એ જ દિશામાં પ્રેઉં દિદાર; અન્તરદીપની એકલ તે હે વહાલા ! આવું નિરધાર! આપણી અર્વાચીન કવિતામાંથી હળવા વિષયને લગતાં કાવ્યોને જ એક જુદે સંગ્રહ બહાર પાડવામાં આવે તે ચૂંટણીનું ધોરણ બહુજ કડક રાખવું પડે એટલી સંખ્યા તેની છે; છતાં એ પ્રકારનાં કાવ્યોમાં કચાશ અને કાવ્યત્વની ઉણપ ખાસ તરી આવે છે. સાંધ્યગીત’માં રેસ્ટોરાંમાં કવિતા કવિનું ધર” અને “કાઢી નાખેલા જેડાને' એ ત્રણે કાવ્યો પ્રથમ પંક્તિમાં બેસે એવાં છે. રેસ્ટોરાંમાં પિતાના ગુરુજીની સાથે કવિ ચા, બિકીટ વગેરે લે છે અને પછી બહાર નીકળતાં ગુરુજી તેના પૈસા ચૂકવે છે તે વખતે કવિનું ચિંતન એકાએક સુભગ વાણીમાં વહી રહે છેઃ વિશ્વની હોટલે આવી, ખાતાં પીતાં વિલાસતાં પડશે દામ તે દેવાં હૈયાનાં દેહનાં ઘણાં, ને આમાં આપણી જેમ જશે ચાલી પછી પથે.” કવિનું ઘર” એ કાવ્યમાં ઉત્તમ પ્રકારને હાસ્યરસ પીરસવામાં આવ્યો છે. અત્યંત ગરીબ હાલતમાં કુટુંબનાં ૯ માણસોને બોજો વહન કરતા કવિ એક પુરાણું-જીર્ણ થયેલા ભાડુતી મકાનમાં રાત્રે ઉંદરડાને ત્રાસ કે સહન કરે છે તેનું રમૂજભર્યું ચિત્ર અહીં કલકની લાક્ષણિક ઢબે મર્મ રજુ કરવાની શક્તિને પરિચય કરાવે છે. કવિ પત્ની જ્યારે ઉંદરના ત્રાસથી કંટાળી એવું મકાન ભાડે રાખવા બદલ કવિને ઠપકો આપે છે ત્યારે કવિ કહે છે ચાલ સખી ! તેમાં શું બગડવું ૧ બદલીશું ઘર કલે માનવને ત્યાં નહિ તે ઉંદર કોને ત્યાં જઈ હાલે ?” વળી કાઢી નાખેલા જેડાને એ કાવ્ય તે આ પ્રકારનાં કાવ્યમાં કલગી સમાન છે. જેડાને અનિછાએ વિદાય આપતાં કવિ કહે છે કે, “તમારી સાથે આજથી લેણદેણી પૂરી થવાથી એમ ન માની લેતા કે હું હવે ફરી જેડ જ નહિ પહેરું” કારણ કે, “સૂર્ય જાતાં નથી વ્યોમે અન્ધા પૂર્ણ જામતું ચંદ્ર ને તારલાનાં ત્યાં છુટે છે ઝરણાં નવાં શાંત ને મધુરી જાત પૃથ્વી પ વરસાવતાં. છતાં આગળ જતાં કવિ કહે છે– ગમે તેવું હશે તે તમે તે મુજ અંગના હજી યે હણુ આ મારી હૈયાની ધબકે સ્મરી તમોને કાવ્યથી આપું વદાય, એ ઘણું ઘણું! ફાટલા, તૂટેલા મારા જેડા ! છૂટા ભલે પડો! ફાટલા તૂટલા છટા અમેય જગથી થશે!” અલબત અહીં “અંગના” અને “મરી” એ બે શબ્દોને યોગ્ય અર્થ સાધવા જતાં ક્લિષ્ટરચના એ પંક્તિમાં જણાય છે. પીડિતે પ્રત્યે હમદર્દી બતાવતાં કાવ્યો પણ આ સંગ્રહમાં છે. તેનું ગીત” “જન્માષ્ટમી” ની' એ કાવ્ય એ પ્રકારનાં છે. અહીં કુવાચિત કવિ દીનજને પ્રત્યે વાત્સલય બતાવવા જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64