Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ નવું અને જાનું ગૌતમ જગતમાં સૌથી સહેલામાં સહેલું છતાં મૂંઝવનારૂં કામ નામ પાડવાનું છે. છેાકરાંનાં નામેા પાડતી વખતે કેવી મૂંઝવણ થાય છે એ જાણીતી વાત છે. આવી મૂઝવણ અમને પણ એકવાર થઈ. અમે અમારા નવા મકાનનું નામ પસંદ કરવામાં પડયા હતા. અમારી મંડળીના નાના-મોટા દરેક જણે પેાતાને ગમતું નામ સૂચવ્યું. કાઇએ ‘ લક્ષ્મી નિવાસ ’ તા કાઈ એ ‘ સરસ્વતી સદન ' સૂચવ્યું; તે કાઈ એ અંગ્રેજી ઢબ પ્રમાણે એકાદ વીલાનું નામ સૂચવ્યું. અમારા મોટાભાઇએ દાદાનું નામ ખ્યાલમાં રાખી ‘ દયાળ નિવાસ ’ સૂચવ્યું; ખીજા બે જણે ધરમાં સૌથી નાના અણુનું નામ પસંદ કરી એક નામ સૂચવ્યું. કાલેજમાં અભ્યાસ કરતા અમારા નાનાભાઈ એ આ બધી પસંદગી તરફ અણુગમે! બતાવી કળાત્મક એવું ‘ શિલ્પભવન ’ નું નામ સૂચવ્યું. નામની પસંદગીના અમારા વાર્તાલાપ ખૂબ ચાલ્યા. એમ કરતાં કેટલીયે અવનવી વાતેા નીકળી. એક પછી એક એવાં કેટલાંયે નવાં નામ આવ્યે જ જતાં હતાં અને ઘડી એડીમાં જૂનાં થયે જતાં હતાં. બધાં વાર્તાલાપમાં મર્મ્યૂલ હતાં તે વખતે એક વસ્તુ મારા ધ્યાનમાં આવ્યા વગર રહી નહિ. જેઓએ કુટુંબની વ્યક્તિઓમાંથી નામ પસંદ કર્યું હતું તેમના બે વિભાગ હતા. એક વિભાગે ગત પેઢીનું નામ પસંદ કર્યું હતું અને ખીજા વિભાગે ભાવી પેઢીમાંથી નામ પસંદ કર્યું હતું. પરસ્પરવિાધી દેખાતી આ પસંદગી પાછળ શું ખૂખી હશે એ શાષવામાં હું ગૂંથાઇ ગયેા. એકમાં આપદાદાની સ્મૃતિ રાખવાની ભાવના હતી તે ખીજામાં ભાવી પેઢી તરફના પ્રેમ અને પક્ષપાત હતા. એકમાં ગત પેઢીને અંજલિ આપવાનો શ્રદ્ધા હતી તેા ખીજામાં ભાવી પેઢીનું શ્રેય કરવાની કામના હતી. એકમાં ભૂતકાળનેા ચાહ હતા તે। ખીજામાં ભવિષ્ય પ્રત્યેના પ્રેમ હતા. નામ પસંદ કરનારાઓમાં પણ એવેજ મૂળગત ભેદ હતા. એક જૂના વિચારને વળગી ચાલતા હતા તેા ખીજો નવા વિચારા પ્રત્યે ઢળેલા હતા. એક હતા પ્રૌઢ અને ખીજો હતા યુવાન. પ્રૌઢ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવતા હતા જ્યારે યુવાન ભાવી તરફ આશાની મીટ માંડતા હતા. આજે ઘણાંય વરસાથી બાપદાદાનાં નામેા મકાને સાથે સંકળાતાં આવ્યાં છે. પણ જમાને પલટાયા છે. કેમ જાણે ભૂતકાળને અસહ્ય ખેાજો ખેંચાતા ન હોય તેથી આજની પ્રજા થાકી જાય છે. જૂની માલમત્તાને જેમની તેમ છાંડીને તેણે ભાવિ સૂર્યના પ્રકાશને શોધવા ડગ ભર્યેા છે. ગત પેઢીને શ્રદ્ધાંજલિ આપીઆપીને આજની પ્રજા હતાશ બની છે, જૂને પરિક્રમણના માર્ગ તેને લૂખા સુક્રો અને અર્થવગરના લાગે છે. જૂનું તેટલું સાનું એમ હવે લાગતું નથી. ભૂતકાળમાંથી મળતી પ્રેરણા આજની પેઢીને તૃપ્તિ આપી શકે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52