Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 43
________________ યાંત્રિક દરજીની જીવનકથા - ૨૪૧ કામ કરનારા ઘણા વાપરતા. હાસિલાઇના ટાંકા મારવાનું તત્ત્વ, યંત્રમાં લાવવું કેમ અશક્રય થયું તેનું કારણ હવે વાંચકના ધ્યાનમાં આવ્યું હશેજ. (૬) હન્ટ અને હૈાએ, એમના પ્રયત્ન:--આ પછી સીવણયંત્રમાં જે જે મહત્વની શેાધા થઇ તે ધણીખરી અમેરિકામાં જ થયેલી છે. તે સમયે આજના જેટલી જલદી ખખરા ઢાંચતી નહેાતી, તેથી અમેરિકામાંના પ્રયત્ના સ્વતંત્ર હતા એમ કહેવાતે કાંઈ હરકત નથી. ૪. ૧૮૩૪માં ન્યુયોર્કના હન્ટ નામના ગૃહસ્થે પહેલાંની સાંકળીના ટાંકાની કલ્પના ાડી આજની સર્વમાન્ય થયેલી, તાળાના આકારના ટાંકાની કલ્પના શેાધી કાઢી. આવા પ્રકારના ટાંકાને ઇંગ્લીશમાં (Lock-stich) કહે છે. તેના યંત્રમાંની સેાય જરાક વાંકવાળી હાર્દ, નાકું અણીની પાસે જ હોય છે. ચિત્ર ૧-આકૃતિ ૩, ૪માં આ યંત્રનું તત્ત્વ બતાવવામાં આવેલું છે. તે ઉપરથી એ દેારા મળી સિલાઈ મળતી હાવાનું આપણા ધ્યાનમાં આવશે. વાંકવાળા સાઈમાં દેરા ઉપરના હાઈ, સાયથી કાણું પડયા પછી, સાયની જલદગતી વડે આ ઉપરના દેારાની કપડાની નીચે આંટી તૈયાર થાય છે. આ આંટીમાંથી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક દારાવાળી ગરેડી (Shuttle) સામેની ખાજુએ જાય અને એટલામાં સાય ઉપર ખેંચાઈ જતી હતી. સાયના દેારાથી થયેલી આંટી બન્ને કપડાંની વચ્ચેવચ પડતી. પછી કાપડ એક ટાંકા આગળ ખસતું, ગરેડી પ્રથમના સ્થળે જતી અને ફરીથી ઉપરના પ્રમાણે કૃતિ થતી. ચિત્ર ૨-આકૃતિ ૪, ‘ક્ષ’ આ ઠેકાણે બન્ને દેારાનું ખેંચાણ સરખું ન થવાથી કેવી સિલાઈ મળે છે તે બતાવે છે. ભલે ગમે તેમ હાય-પણ હન્ટને પેટંટ લેવાની બુદ્ધિ વહેલાં સૂઝી નહીં. એગણીસ વર્ષો પછી તેને આ બુદ્ધિ સૂઝતાં એણે અરજી કરી જેના જવાખમાં એને, એના પેટંટ લેવાના હક્ક જતા રહેવાનું જણાવવામાં આવ્યું. આ જ સમયે ઢાએ નામના ખીજા એક અમેરિકનનેા પ્રયત્ન ચાલુ હતા. એ એસ્ટનના એક કારખાનામાં યાંત્રિક હતા. તેના માલિક પાસે એક માટી શ્રીમંત વ્યક્તિ રાજ ગપ્પાં મારવા આવતી. સીવણયંત્ર કાઢવાથી ખાત્રીપૂર્વક ખૂબ પૈસા મળશે એવી એ વ્યક્તિની સમજ હતી. માલિક મોટા કારખાનાદાર હેાવા છતાં પણ એણે આ વાતને હસી કાઢી હતી. પણ ઢાએને એ એક દૈવી સંદેશ પ્રમાણે લાગ્યું–અને તે કામે લાગ્યા. એના વિષે ખીજી એક રમ્ય વાત પણ પ્રચારમાં છે. એના ધરની ગરીબીને લીધે, એની બૈરીને લેાકાનાં સીવષ્ણુ, ટીપણું વગેરે કરવું પડતું. તેથી એની (બૈરીની) મહેનત ઓછી કરવાના હેતુથી તેનું લક્ષ સીવણયંત્ર તૈયાર કરવા તરફ લાગ્યું. એટલું ખરૂં કે સીવવાના યંત્ર તરફ તેનું લક્ષ વળતાં જ શાધકાને માટે ઠરેલા નિયમ પ્રમાણે, લક્ષ્મીદેવીએ એના પરથી પેાતાની કૃપા ઘણી જ ઓછી કરી નાંખી. તેની કલ્પના તેના મગજમાં જ રહી જાત-પરંતુ તેના એક સન્મિત્રે તેને આવા સંકટ વખતે મદદ કરી. બદલામાં હૈાએએ એને પ્રાપ્તિના અડધા ભાગ આપવાનું કબૂલ કર્યું. એણે થાડા જ દિવસમાં એક યંત્ર તૈયાર કરી તેનાથી પેાતાને તથા પેાતાના મિત્ર માટે, એક એક ડગલા સીજ્યેા. તેના યંત્રનું ટૂના યંત્ર સાથે ધણું સામ્ય હતું. પરંતુ તેની શેાધ માત્ર તેની પાતાની જ હતી એ વાત નિર્વિવાદ છે. પેલા મેાટા માણુસે દોરેલા ચિત્ર પ્રમાણે, યંત્ર તૈયાર થયા પછી પૈસાના વરસાદ પડશે એવી જે કલ્પના હૈએ કરી હતી—તે જ પ્રમાણે કેટલાક વાંચકાએ પણ કરી હશે—તે ખોટી ઠરી. પહેલાં, લેાકાને એ એક નવીન વસ્તુ છે એથી વધારે કંઈ લાગ્યું નહીં. એટલે તેણે પેાતાના યંત્રની કરામત બતાવવા પુષ્કળ પ્રયત્ન કર્યાં. પાંચ દરજી એક કામ જેટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52