Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ મંત્રી દામોદરર૩૫ અનુસંધાન પૃ. ૨૩૦ ].. પણ માળવાની ચડાઈને કાગળ તેં બનાવટીજ ઘડી કાઢયો હોય એવી ભેજને શંકા પણ ન આવી?” જાસુસીકળા કે કૂટનીતિ સમજવાં એ ભોળા દિલેનું કામ નથી.” આંખ નચવીને ડામરે ઉત્તર દીધો. ભીમ સમજી ગયો કે ડામર ભેજની સાથે પિતાના ભોળપણ પ્રત્યે પણ સૂચક મર્મ ફેકો હતે. ને ભીમનું ભેળપણ હતું પણ એવું જ. એ ભેળપણથી તેણે પિતાના મહામંત્રી અને દંડનાયક વિમલને ગુમાવ્યો હતો, એ જ ભોળપણથી તેણે અનેક રાજપુરુષને મુશ્કેલીમાં ઉતાર્યા હતા. ને ભોળપણની સાથે જ્યારે હઠ કે ચીડ ભળતાં ત્યારે તે તે કેટલીક વખત એવું કરી બેસતો કે ગુજરાતનાં નરરત્નોને માટે પણ અકાળે યમનું મેં ખુલી જાય. ડામર પર પણ તેની અવકૃપા ઓછી નહેતી ઊતરી. પણ ડામર ભક્તિથી ગુજરાતને વળગી રહો. યુકિતથી તેણે એ અવકપાઓને ઊંધી વાળી. છેલી વખતે માળવા જતાં ત્યાં શું શું કરવું તે વિષે ડામરને ભીમદેવે રાતભર સલાહ આપ્યા કરેલી. ડામરે તેને પાઠ ભણાવવા જતાં જતાં કહ્યું, “શેઠની શિખામણ ઝાંપા સુધી.” ભીમદેવ ચીડાઈ ગયો. તેણે એક બીજા દૂત સાથે, ડામર માળવામાં પ્રવેશે કે તરતજ તેનું મસ્તક કાપી લેવાને, ભાજપર ત્વરિત સંદેશ મોકલ્યો. પણ ડામરને ખુલાસો પૂછયા વિના વેરી રાજાને ખૂની સંદેશ અમલમાં મૂકો ભોજને ઠીક ન જણાયેલે; તેણે એ સંદેશ ડામરને વંચાવતાં ડામરની આંખો પળભર ચમકીને બીજી જ પળે હસી ઊઠેલી. “કેમ, શી હકીકત છે?” ભેજે પૂછયું. મારી જન્મકુંડલી ગુર્જરપતિને હસ્તક ગઈ જણાય છે.” ડામરે તત્ક્ષણ ઉત્તર આપો. “જન્મકુંડલીને આ પ્રસંગ સાથે શો સંબંધ ?” “વાત એમ છે,” ડામરે શાંતિથી કહ્યું, “કે મારા પિતા મહાન જેશી હતા. તેમણે મારું ભાવિ વાંચી જન્મકુંડલીમાં લખેલું કે જ્યાં મારું લેહી પડે ત્યાં બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડે; એટલે ભીમદેવે માળવાને ખેદાનમેદાન કરી મૂકવાને આ સહેલે ઉપાય લીધો લાગે છે.” અને ડામર બચી ગયો એટલું જ નહિ તેણે ભજનો પ્રેમ છો, તેને બીજ દિશાએ વાળ્યો, ગુજરાતને માટે તે વગર યુધ્ધ વિજયવાવટા લેતે આવ્યા. એક વખતે મનસ્વી ભીમે તેની બુદ્ધિનું માપ કાઢવાને તેની સાથે અવંતીપતિને એક શીલબંધ દાબડાની ભેટ મેકલાવી. ડામરે અવંતીની રાજસભામાં જઈ ભેજને ચરણે તે દાબડો ધર્યો. ભોજે શીલ તેડાવી દાબડામાં નજર કરી તે તેમાં રખા ભરી હતી. એ અપશુકનિયાળ ચીજ જોતાં જ ભેજની આંખમાંથી અંગારા વર્ષવા લાગ્યા. ડામર પ્રસંગ પારખી ગયો. ભોજ કંઈ ઉત્તર આપે તે પહેલાં જ તે બોલ્યો, “ મહારાજ, આવી અમૂલ્ય ભેટથી પણ આપનાં નયનમાં આનંદ નથી ઊભરાતો?” અમૂલ્ય!” દાબડે ડામર સામે ધકેલતાં જ બે, “ગુજરાતમાં રાખ્યા જ અમૂલ્ય ગણાતી હશે.!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52