Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 456
________________ પરિશિષ્ય છે. તે “વતી”ના નામથી ઓળખાતા અમુક માણસને ક દુશમન છે. તે દ્રતિય સંબંધી હું કંઈક હકીક્ત આપીશ. વૃતિ, સાધુઓની માફક સમુદાયમાં રહે છે અને હું જ્યારે તેમના સ્થાન (ખંભાતમાં) ગયે, ત્યારે તેમનામાં પચાસેક જણ ત્યાં હતા. તેઓ અમુક પ્રકારનાં શ્વેત વસ્ત્રો પહેરે છે. તેઓ માથા ઉપર કંઈ પણ ઓઢતા નથી, વળી અસ્ત્રાથી દાઢીની હજામત કરાવતા નથી, પણ તે દાઢીને ખેંચી કાઢે છે અર્થાત્ દાઢીના તેમજ માથાના વાળને તેઓ લેચ કહે છે. માથાની ટેચે વચલા ભાગમાં જ છેડા વાળ હોય છે, આથી કરીને તેઓના માથામાં મોટી ટાલ પડી ગયેલી હોય છે, તેઓ નિર્મથ છે. ભિક્ષામાં, જે ખાદ્યપદાર્થ (ગૃહસ્થની ) જરૂરીઆત ઉપરાંત વધેલું હોય છે, તે જ લે છે. તેઓને પ્રિય હોતી નથી. ગુજરાતની ભાષામાં તેઓનાં ધર્મશિક્ષણે લખેલાં હોય છે. તેઓ ગરમ કરેલું પાણી પીએ છે. તે શરદી લાગવાના ભયથી નહિં, પણ એવા મન્તવ્યથી કે પાણીમાં જીવ છે, અને ઉકાળ્યા સિવાય તે પીવામાં આવે, તો તે જીવને નાશ થાય છે. આ જીવ પરમેશ્વરે બનાવ્યા છે. અને આમાં ( ઉકાળ્યા વગર પીવામાં) બહુ પાપ છે. પણ જ્યારે ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાં જીવ રહેતું નથી. અને આ કારણથી તેઓ તેમના હાથમાં અમુક પ્રકારની પીંછીઓ (ઘા) લઈને ફરે છે. આ પછી તેના દાંડાઓ સહિત રૂની (ઉનની) બનાવેલી સીસાપેને જેવી લાગે છે. તેઓ આ પીંછીઓ વડે જમીન અથવા બીજી જગ્યાએ કે જ્યાં તેમને ચાલવાનું હોય છે, તેને સાફ કરે છે. કારણ કે તેમ કર્યાથી કઈ જીવની ઘાત થાય નહિં. આ હેમને લીધે તેમના વડવાઓને અને ઉપરિઓને ઘણી વખત જમીન સાફ કરતાં મેં જોયા છે. તેમના સાથી હેટા નાયકના હાથ નીચે તેની આજ્ઞામાં રહેનારા એક લાખ માણસે હશે. અને દરેક વર્ષે આમાંને એક ચૂંટાય છે. મેં તેમાં આઠ-નવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472