Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૬૪૪ ] પણ માતૃચેટની આ સ્તુતિના પાક તેને વિશે અણુગમા આ શૈલી દ્વારા જાણે માતૃચેટ એવું તત્ત્વ સ્થાપિત કર્યું ભક્ત કે સ્તુતિકાર પોતાના ઇષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ જોયા સિવાય અને દૈવી કે અસ્વાભાવિક ચમત્કારોનો પણ કરી શકે છે. ' . અહીં ઇત્સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરવા ઘટે છે કે માતૃચેટની સ્તુતિના ધણા વ્યાખ્યાકારી અને અનુકરણકારા થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સમ્પૂર્ણ ભારતીય વાડ્મય નથી કે જેથી ઇ–ત્સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ છતાં જે કાંઈ વાઙમયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણુ છે, તે ઉપરથી એ તા નિઃશંક કહી શકાય છે કે -ત્સિંગનું એ કથત નિરાધાર કે માત્ર પ્રશંસાપૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ ‘ ચતુઃશતક ’ છે. નાગાર્જુનની મધ્યમકકારિકા ' ૪૦૦ શ્ર્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આ દેવનું ચતુઃશતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બન્ને ગુરુ-શિષ્ય માતૃચેટના સમીપ ઉત્તરવી છે અને બૌદ્ધ શૂન્યવાદી વિદ્વાના છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આ દેવે માતૃચેટના ‘ ચતુઃશતક ’ નું અનુકરણ કરી પોતપોતાનાં ચતુઃરાતપ્રમાણ પ્રકરણો લખ્યાં. આ પ્રકરણ ઇ—ત્સિંગ પહેલાં રચાયેલ હાઈ તેના ધ્યાનમાં હતાંજ અને તેનું ચીની ભાષાન્તર પણ છે જ. ઇ-સિંગે ચતુઃશતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્રે પ્રાકૃતમાં વીસ વીશીએ રચી છે, જે ચારસે શ્લાક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઇત્સિંગના ઉત્તરવતી હોઈ એ વિશિકાએ ઇં—ત્સિંગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તેા ભારતીય વિદ્યાની અનુકરણપર’પરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુઃશતકની, સાક્ષાત નહિ તે! પારસ્પરિક, પ્રેરણા હાઈ શકે, માતૃ-ચેટનું બીજું સ્તોત્ર અધ્ય શતક છે. એનું અનુકરણ તે દિનાગે કર્યું જ છે; અને દિનાગની એ અનુકૃતિ ટિમેટન ભાષામાં મળે છે. ઇ–ર્સિંગ પહેલાં એ રચાયેલ હાઈ તેની જાણ ઇ–ત્સિંગને હતી જ. દિનાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિનાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્ય શતકનાં અનુકરણા કર્યાં હાય એવા સભવ છે, કેમ કે અસંગ અને વસુબન્ધુ જેવા અસાધારણ વિદ્વાના પણ માતૃચેટના પ્રશંસક હતા. આગળ વધારે શેાધને પરિણામે એવાં અનુકરણા મળી આવે તો નવાઈ નહિં. એ ઉપરાંત ઉપર પણ ધ્યશતકની સાક્ષાત્ કે ઋતિકા Jain Education International દુન અને ચિંતન ઉત્પન્ન નથી જ કરો. લાગે છે હું કાઈ પણ. ખીજા કાઈના દોષ આશ્રય લીધા વિના For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20