Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૬૫ર ].
દર્શન અને ચિંતન ભાતચેટ બુદ્ધને વન્દન કરનારાઓને પણ વળે છે: હે નાથ! જેઓ પુણ્યસમુદ્ર, રત્નનિધિ, ધર્મરાશિ અને ગુણકર એવા તને નમે છે, તેઓને નમસ્કાર કરે એ પણ સુકૃત છે.
હેમચંદ્ર એ જ ભાવ માત્ર શબ્દાન્તરથી સ્તવે છે: હે નાથ ! જેઓએ તારા આજ્ઞામૃતથી પિતાની જાતને સદા સીંચી છે તેઓને નમસ્કાર, તેઓની સામે આ મારી અંજલિ અને તેઓને જ ઉપાસીએ છીએ.૩૩
માતૃચેટ અને હેમચંદ્રની તેત્રગત વધારે તુલનાને ભાર જિજ્ઞાસુઓ ઉપર મૂકી આ સરખામણીનો ઉપસંહાર માતૃચેટથી બહુ ડે નહિ થયેલ કાલિદાસ અને સિદ્ધસેનનાં એકાદ બે પદ્યોની સરખામણીથી પૂરે કરું છું. માટે રસ્તુતિને ઉપસંહાર કરતાં જે ભાવ પ્રગટ કર્યો છે તે જ ભાવ કાલિદાસ વિષ્ણુની સ્તુતિના ઉપસંહારમાં દેના મુખથી પ્રકટ કરે છે :
હે નાથ ! તારા ગુણો અક્ષય છે, જ્યારે મારી શક્તિ ક્ષયશીલ છે. તેથી લંબાણના ભયને લીધે વિરમું છું, નહિ કે સ્તુતિજન્ય તૃપ્તિને લીધે. –અધ્ય. ૧૫૦
હે વિષ્ણ! તારા મહિમાનું કીર્તન કરી વાણું વિરમે છે તે કાં તો શ્રમથી અને કાં તે અશક્તિથી; નહિ કે તારા ગુણની પરિમિતતાથી. -રધુ. ૧૦, ૩૨.
આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એ કે બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવમાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ–પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બને ઉપર સમાનભાવે કરુણુ વર્ષાવવી એને જ પ્રકૃષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાને જ. તેથી અહિ તેવાં ઉદાહરણે નથી તારવતે.
માતુચેટ બુદ્ધનાં વચને સર્વજ્ઞતાને નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે જ્યારે ૩૨. મધ્ય --પુષ્પોધિ પરિધિ ઘf Tળાવદરમ્ |
ये त्वां सत्त्वा नमस्यन्ति तेभ्योपि सुकृतं नमः ॥ १४९ ।। 33. वीत० तेभ्यो नमो ऽजलिरयं, तेषां तान् समुपास्महे ।
स्वच्छासनामृतरसै रात्माऽसिच्यतान्वहम् ॥ १५, ७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org