Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
દર્શન અને ચિંતન પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છેડવાની વિનંતી છે. આ સાદય ભલે એક-બીજાના પ્રસ્થાનુકરણરૂપે ન હોય, તેય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાને પ સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બંનેને પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તે પડે જ છે કે, હાય ન હોય પણ, હેમચંદ્ર સામે અધ્યદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્ર અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુમતત્વ અને સર્વતોમુખી અવલોકન અને તેને ગ્રન્થસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિર્મળ ભાગ્યે જ કહી શકાય. બીજા કેઈની સ્તુતિ કરતાં હેમચંદના વીતરાગસ્તોત્ર સાથે અધ્યશતકને કેટલે વધારે બિંબ-પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દૃષ્ટિએ ઉપયોગી છે.
માટે બીજા કોઈમાં દેશનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કઈ પણ દેવ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણે જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જે બુદ્ધિ હેય તે.
આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દે છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણ જ છે. નાથ તરીકે તારે આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા સિવાય અન્ય કોઈ ત્રાતા નથી."
માતૃચેટ બુદ્ધ વિશે કહે છે કે આ બુદ્ધને દોષો અને એના બીજસંસ્કાર કશું જ નથી. વળી હે સુગત, તે દોષ ઉપર એ સખત પ્રહાર કર્યો છે કે જેથી તે પિતાના ચિત્તમાં દેષના સંસ્કારને પણું બાકી રહેવા દીધા નથી.' ૪. ---નર્વા સર્વચા સર્વે ચર્ચા ઢોવા રત્તિ દુ
सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥ १॥ तमेव शरणे गन्तु तं स्तोतुं तमुपासितुम ।
तस्यैव शासने स्थातुं न्याय्य यद्यस्ति चेतना ।। २ ॥ ૫. વીત–સર્વે સનાડ રોપારા પુનre I ૧૧, ૮
स्वां प्रपद्यामहे नाथ त्वां स्तुमस्त्वामुपास्महे ।
त्वत्तो हि न परस्त्राता किमु ब्रूमः किमु कुर्महे ।। ६, ५॥ ૬. થM –-સવારનાધુ તે ટોપ ૪ વાચ તચિર + રૂ
तथा सर्वाभिमारेण दोषेषु प्रहृत त्वया । यथैषामात्मसन्ताने वासनापि न शेषता ।। ३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org