Book Title: Stuti Chaturvinshatika Sachitra
Author(s): Hiralal R Kapadia
Publisher: Agmoday Samiti

View full book text
Previous | Next

Page 412
________________ જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका - શ્રી શાંતિનાથ ચરિત્રમાં નીચે મુજબને ઉલ્લેખ છે “ વ્યવસ્થ, પ્રત્યે તુવર સિથતા - સુષમાણી હવા, નકામુભૂતિઃ ” શ્રીહૈમવીરચરિત્રમાં નીચે મુજબ નિવેદન કરવામાં આવ્યું છે “કવિ તન્ના, તથૌ તથd તુવેર ત રિલ્સવી, નવમુરતિઃ ” અશોક વૃક્ષ ૨૦૦ ધનુષ્ય જેટલી લંબાઈ તેમજ પોળાઈવાળાં અને તીર્થંકરના દેહના જેટલી ઊંચાઈ વાળાં એવાં ત્રણ ત્રણ પગથિયાવાળાં ચાર દ્વારવાળા તેમજ સમવસરણની બરાબર મધ્યમાં વ્યંતરોએ રચેલા મણિ-પીઠના ઉપર અશોક વૃક્ષ રચવામાં આવે છે. આ વૃક્ષની ઊંચાઈ તીર્થંકરના દેહમાન કરતાં બારગણી હોય છે અને તેને ઉપરને ઘેર એક એજનથી કંઈક અધિક હોય છે. વિશેષમાં આ વૃક્ષ એ આઠ પ્રાતિહાર્ય પૈકી એક છે. કહ્યું પણ છે કે "अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च। भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥" અર્થાત (૧) અશોક વૃક્ષ, (૨) દેવકૃત પુષ્પ-વૃષ્ટિ, (૩) દિવ્ય વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર એ જિનેશ્વરેનાં વિદ્યમાન પ્રાતિહાર્યો છે. વળી આ અશોક વૃક્ષના ઉપર ચૈત્ય-વૃક્ષ હોય છે. સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી તીર્થંકર આ ચૈત્ય-વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. સિંહાસન, ચામર, છત્ર ઇત્યાદિ આ અશોક વૃક્ષની નીચે છંદકની મધ્યમાં પાદ-પીઠ યુક્ત અને પૂર્વાભિમુખ એવું પરત્નમથ ૧ પ્રતિહાર (પહેરેગીર)ની માફક જે વસ્તુઓને દેવતાઓ તીર્થકર પાસે નિયમિત રીતે રજુ કરે તે પ્રાતિહાર્ય' કહેવાય છે. - ૨ વિદ્યમાન” શબ્દથી એમ સમજવું કે કેવલજ્ઞાનધારી તીર્થકરનું કોઈક સ્થલે સમવસરણ નહિ રચવામાં આવે તે તેને સ્થલે પણ તેઓ દેશના આપે તે સમયે આ આઠ પ્રાતિહાર્યો હોય છે, કેમકે દેશનાના સમય સિવાય અન્ય સમયમાં પણ પ્રાતિહાર્યો તે આઠે પહોર હેય છે. . ૩ આ આઠ પ્રાતિહાર્યો અને અપાયાપગમાતિશય, જ્ઞાનતિશય, પૂજાતિશય અને વચનાતિશય એ થાર મૂલ અતિશય મળી તીર્થંકરના બાર ગુણે થાય છે. જે વૃક્ષ નીચે તીધરને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે “મૈત્યવક્ષ' કહેવાય છે. ૫ આવા રત્ન-મય સિંહાસન ઉપર બેસવાથી પ્રભુમાં સરાગપણું સંભવતું નથી, કેમકે સંપૂર્ણ વીતરાગતા પૂર્વક તે સર્વત્રતા છે અને તીર્થંકર સર્વત્ત થયા બાદ દેશના આપે છે એ જાણીતી વાત છે. આથી કરીને આવા સિંહાસન ઉપર બેસવાથી તેમની વીતરાગ-દશા કે ત્યાગ–અવસ્થામાં જરા પણ ન્યૂનતા આવતી નથી, પરંતુ દેવતાઓએ પિતાના સ્વામી પ્રત્યેની ભક્તિને વશ થઇને તેનું કાર્ય કરેલું હોવાથી તીર્થકર તેને અનાદર કરતા નથી.

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478