Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 16
________________ ભૂતકાળના પ્રત્યય તથા વ્યંજનાંત ધાતુને લાગતા ભૂતકાળના પ્રત્યયનું નિરૂપણ છે. આ જ પાદમાં સપ્તમી એટલે વિધ્યર્થ પ્રત્યયોની તથા આજ્ઞાર્થ પ્રત્યયોની તથા ભવિષ્યકાળના પ્રત્યયોની પણ ચર્ચા છે. તથા ક્રિયાપદના પ્રત્યાને લીધે ધાતુમાં થતા ફેરફારની પણ ચર્ચા છે. ૧૭૯ તથા ૧૮ભા સૂત્રમાં ક્રિયાતિપત્તિનાં રૂપોની હકીક્ત આપેલ છે અને ૧૮૧ મા સૂત્રમાં સંરકતમાં વપરાતા શત્રુ અને માર પ્રત્યયેના આદેશનું વિધાન છે અને છેલ્લા ૧૮૨ મા સૂત્રમાં નારીજાતિમાં વપરાતા શત્રુ અને માન પ્રત્યયના ત્રણ આદેશનું વિધાન છે. આ રીતે આ ત્રીજ પાદમાં નામનાં રૂપની તથા ધાતુનાં રૂપની ચર્ચા કરી આચાર્યશ્રીએ આ પાદ પૂરું કરેલ છે. હવે અહીં છેલ્લે આઠમા અધ્યાયના ચોથા પાકને સવિસ્તર પરિચય આપવાનો છે. આગળના ત્રણ પાદ કરતાં આ પાદ મહત્તમ છે. આ યાદનાં બધાં મળીને શરૂઆતથી અંત સુધીમાં ૪૪૮ સૂત્રો છે. એમાં ૨૫૯ સૂત્ર તો કેવળ ધાતુઓના આદેશો માટે તથા ધાતુઓ સંબંધી પરિવર્તન માટે રોકાયેલાં છે. સૂત્ર ૨૬૦ થી ૨૮૬માં શૌરસેની ભાષાનું વ્યાકરણ સમજાવેલ છે. ૨૮૭ સૂત્રથી ૩૦૨ સૂત્રોમાં માગધી ભાષાનું વ્યાકરણ, ૩૦૩ સૂત્રથી ૩૨૪ સૂત્ર સુધી પૈશાચી ભાષાનું વ્યાકરણ તથા ૩૨૫ સૂત્રથી ૩૨૮ સૂત્ર સુધી ચૂલિકાપૈશાચી ભાષાનું અને છેક છેલ્લે ૩૨૯ સૂત્રથી ૪૪૮ સૂત્ર સુધી અપભ્રંશ ભાષાને વ્યાકરણની નિરૂપણા સવિસ્તર દર્શાવેલ છે. શૌરસેની ભાષાનું વ્યાકરણ જ્યાં પૂરું થાય છે ત્યાં છેડે જણાવેલ છે કે વીરસેનીના નિરૂપણમાં જે કાંઈ કહેવાનું બાકી રહેલ હોય તેને પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં જે નિરૂપણ કરેલ છે તેની પેઠે સમજી લેવું. આ ઉપરથી એમ સમજાય છે કે પ્રાકૃત અને શૌરસેની એ બે ભાષાઓ વચ્ચે વિશેષ સમાનતા છે. પછી માગધી ભાષાના નિરૂપણમાં છેડે એમ જણાવેલ છે કે માગધી ભાષાના વ્યાકરણમાં જે કાંઈ નિરૂપણ કરવાનું બાકી રહેલ છે તેને શૌરસેની ભાષાના વ્યાકરણની જેમ સમજી લેવું. આથી શૌરસેની ભાષા અને માગધી ભાષા વચ્ચે વિશેષ સમાનતા હોવાનું માલુમ પડે છે. આ પછી પૈશાચી ભાષાના બાકી રહેલા વ્યાકરણના નિરૂપણને શૌરસેની ભાષાના વ્યાકરણના નિરૂપણની પેઠે સમજી લેવાની ભલામણ કરેલ છે એટલે એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે પૈશાચીનું વ્યાકરણ અને શૌરસેનીનું વ્યાકરણ એ બે વચ્ચે વિશેષ સમાનતા છે. આ પછી ચૂલિકાપૈશાચી ભાષાની નિરૂપણું પૂરી થઈ ગયા બાદ બાકી રહેલા નિરૂપણને સમજવા સારુ કઈ ભાષાના નામને હવાલે આપેલ નથી પણ માત્ર ૬ સત્ર છે T૪૩૨૮ એટલું જ કહેલ છે, પણ આ સૂત્રનો અર્થ વૃત્તિમાં એમ સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 534