Book Title: Shrut Ratna Ratnakar Author(s): Pradyumnavijay Publisher: Syadwad Prakashan Mandir Trust View full book textPage 9
________________ 8 અસરકારક જણાય છે. જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી મહારાજ વગેરે ઘણા મહાપુરુષના જીવનમાં વૈરાગ્ય રસને સ્રોત આ ઉપદેશમાળાના પાઠથી જ પ્રગટ થયાનું જણાય છે. તે ગ્રેન્ય એક કાળે આજે જીવ વિચાર નવતત્ત્વ ગોખાય છે તેવી જ રીતે સર્વ આરાધકસાધારણમાં તેનું અધ્યયન-અધ્યાપન પ્રવર્તમાન હતું. આજે ફરીથી તે રીતે આ ગ્રન્થનું પઠનપાઠન ફેલાવવું જરૂરી છે. પેથડમંત્રી મંત્રીશ્વરના અતિવ્યવસાયી જીવનમાં પણ રેજ આ ગ્રન્થની એક ગાથા કંઠસ્થ કરતા એ તેમના ચરિત્રમાં ઉલ્લેખ છે. 7. ઉપદેશના ગ્રન્થમાં ધર્મરત્ન પ્રકરણએ સુંદર ગ્રન્થ છે. શ્રાવકના ગુણોનો વિચાર કરતાં દ્રવ્ય શ્રાવક ભાવશ્રાવક વગેરેનાં લક્ષણે તેમાં આપ્યાં છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશવિજ્યજી મહારાજે સાડા ત્રણસે માથાના સ્તવનમાંઢાળ 11-12-13-14 એ ચાર ઢાળમાં એ ધર્મરત્ન પ્રકરણના ઘણા ભાવે સુપેરે પદ્યમાં ગૂંચ્યા છે. 8. માલધારી પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મ.ને ભવભાવના ગ્રન્થ વાંચે અને ભવ્યજીવને ભવ-સંસાર પ્રત્યે નફરત ન જાગે અને શિવમક્ષ પ્રત્યે તીવ્ર રાગ ન પ્રકટે તેવું બને નહીં, ગ્રન્થની અક્ષર પેજના એવી તે વેધક છે કે વાચક એક વાર વાંચે ને તે શબ્દો કાનમાં ગૂંજે અને ભાવ હદય સેંસરવા ઊતરી જાય એ સંગ રસથી છલકતે આ ગ્રન્થ છે. મૂળ ગ્રન્થરૂપે સૌ પ્રથમ અહીં જ તે પ્રકાશિત થયે છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186