Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ૫. માછીમારોને પણ સારા માણસ બનાવ્યા વિ. સં. ૧૯૬૫ની વાત છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ મહુવાથી જે દરિયાકાંઠે શરૂ થાય છે, ત્યાં જે માછીમારો છે ત્યાં વિચર્યા અને જે હિંસા થતી હતી તે ઉપદેશ આપીને બંધ કરાવી. નિય ગામના વતની નરોત્તમદાસ ઠાકરશી નામના ગૃહસ્થ પૂજ્યશ્રીની સાથે રહ્યા. એ દરિયાકાંઠો વાલાક અને કંઠાલ પ્રદેશના નામે ઓળખાય છે. તે તરફનાં જે ગામો છે વાલર, તલ્લી, ઝાંઝમેર વગેરે. ત્યાંની બહાર જે માછીમારોનાં ઘર હોય ત્યાં જવાનું, રહેવાનું અને એ માછીમારોને એ સમજે તેવી ભાષામાં ઉપદેશનાં વચનો કહીને તેમની વંશપરંપરાગત આ માછી મારવાની પ્રવૃત્તિ બંધ કરાવવી.મહારાજ સાહેબનાં વચનોની અમોઘ અસર માછીમાર ઉપર થઈ. આવું કામ પૂજ્યશ્રીએ કર્યું. કેટલાય માછીમારોએ પોતાની જાળ લાવીને પૂજ્યશ્રીના ચરણે ધરી દીધી અને શાકની લારી જેવો ધંધો શરૂ કર્યો. / નમો નમ: શ્રી ગુરુ નેમિપૂર // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36