Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ ૧૫. માગ ઘુરન્થરને ડિમUT અચ્છા રયા ! વિ. સં. ૨00૫ના દિવાળીના દિવસે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી કાળધર્મ પામ્યા. તેના આગલા દિવસે આસો વદિ ચૌદશના સાંજે પખી પ્રતિક્રમણ કરતી વેળાએ પૂજયશ્રી સાથે પૂજ્ય નંદનસૂરિ મહારાજ તથા મુનિશ્રી ધુરન્ધરવિજયજી હતા. સમગ્ર પખ્ખી પ્રતિક્રમણ મુનિશ્રી ધુરન્ધરવિજયજી બોલ્યા. શુદ્ધ ઉચ્ચારપૂર્વક છતાં ફૂર્તિથી સૂત્રો બોલાયાં. પૂજ્યશ્રીએ પણ એ આખું પ્રતિક્રમણ રસપૂર્વક સભાનપણે કર્યું. પ્રતિક્રમણ પૂરું થયું પછછ ઉદયસૂરિ મહારાજ આદિ સાતા પૂછવા આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે “માન ધુન્જરને पडिकमणा अच्छा कराया." | છેલ્લે સુધી ધર્મક્રિયામાં કેવાં રસરુચિ અખંડ રહ્યાં ! | નમો નમ: શ્રી ગુરુ નલૂિ I ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36