Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ ૯. રણમાં પણ ઝરણાં વહે તેવો ભવ્ય પ્રભાવ વિ.સં. ૧૯૭૩માં રાજસ્થાન-શિવગંજથી જેસલમેરનો ૬'રી પાલિત સંઘ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળ્યો. ફલોધીથી આગળના દિવસોમાં વાસણા ગામે મુકામ આવ્યો. સાવ રણપ્રદેશ. ઝાડનું તો નામ નિશાન ન મળે. આખા વરસમાં અરધો કે એક ઈચ પાણી પડે. તેમાં જ વરસ સુધી ચલાવવાનું તેથી ગામવાળા કહે કે અહીં સંઘને ઊતરવા નહીં દઈએ. તમે બધા તો અમારું મહિનાનું પાણી એક દિવસમાં જ વાપરી કાઢો. પછી અમે પાણી વિનાના શું કરીએ ? ચૈત્ર મહિનાના દિવસો હતા. પણ મહારાજ સાહેબે કહેવરાવ્યું કે તમે ફિકર ન કરો. બધું સારું થશે. અને બપોરના સમયે આકાશમાં ક્યાંય વાદળાં દેખાતાં ન હતાં ને એકાએક વરસાદ આવ્યો અને તે પણ છાંટા કે ફરફર નહીં પણ આજુબાજુમાં પાણી-પાણી થઈ જાય તેટલો વરસાદ આવ્યો. બધાંનાં મોં ને આંખ આશ્ચર્યથી પહોળાંપહોળાં થઈ રહ્યાં. આવો પ્રભાવ તેઓનો હતો. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36