Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ ૧૩. પહેલાં ચારિક પછી હું : નેતાનો વિશિષ્ટ ગુણ વાત છે વિ.સં. ૧૯૯૧માં નીકળેલા કાકુભાઈના સંઘની. સંઘનું પ્રયાણ થઈ ગયું છે. એક પછી એક મુકામે સંઘ આગળ વધે છે. પૂજ્યશ્રી શાસનસમ્રાટ વગેરે સાધુગણ સંઘનો જ્યાં પડાવ હતો ત્યાં પહોંચી ગયા. પોતાના સમુદાય માટેનો તંબૂ હતો ત્યાં પ્રવેશવા જાય છે. ત્યારે સમાચાર મળે છે કે કેટલાંક યાત્રિકો ભૂલાં પડ્યાં છે. અને હજુ સુધી આવ્યાં નથી. પૂજ્યશ્રી તંબૂની બહાર જ પાટ ઉપર વિરાજ્યા. સાધુ મહારાજે કહ્યું કે અંદર પધારો, ભેટ છોડો. મહારાજસાહેબ કહે જયાં સુધી યાત્રિકો નહીં આવે ત્યાં સુધી હું બહાર જ બેસીશ. સંઘના યાત્રિકોની ચિંતા પહેલી. કલાકવારે યાત્રિકો આવ્યા પછી મહારાજસાહેબ તંબૂમાં પધાર્યા. આવો તેઓશ્રીમાં ભાવ, આવા નેતાગીરીના તેઓશ્રીમાં ગુણ હતા. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36