SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. રણમાં પણ ઝરણાં વહે તેવો ભવ્ય પ્રભાવ વિ.સં. ૧૯૭૩માં રાજસ્થાન-શિવગંજથી જેસલમેરનો ૬'રી પાલિત સંઘ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળ્યો. ફલોધીથી આગળના દિવસોમાં વાસણા ગામે મુકામ આવ્યો. સાવ રણપ્રદેશ. ઝાડનું તો નામ નિશાન ન મળે. આખા વરસમાં અરધો કે એક ઈચ પાણી પડે. તેમાં જ વરસ સુધી ચલાવવાનું તેથી ગામવાળા કહે કે અહીં સંઘને ઊતરવા નહીં દઈએ. તમે બધા તો અમારું મહિનાનું પાણી એક દિવસમાં જ વાપરી કાઢો. પછી અમે પાણી વિનાના શું કરીએ ? ચૈત્ર મહિનાના દિવસો હતા. પણ મહારાજ સાહેબે કહેવરાવ્યું કે તમે ફિકર ન કરો. બધું સારું થશે. અને બપોરના સમયે આકાશમાં ક્યાંય વાદળાં દેખાતાં ન હતાં ને એકાએક વરસાદ આવ્યો અને તે પણ છાંટા કે ફરફર નહીં પણ આજુબાજુમાં પાણી-પાણી થઈ જાય તેટલો વરસાદ આવ્યો. બધાંનાં મોં ને આંખ આશ્ચર્યથી પહોળાંપહોળાં થઈ રહ્યાં. આવો પ્રભાવ તેઓનો હતો. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004566
Book TitleShasana Samratna Tej Kirno Prasang Chitramala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy