Book Title: Shabdaratnamahodadhi Part 2
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ જ વિબોથી ભરપૂર હોય છે, તેમાં તો કોઈ શંકા જ નથી. ચાલુ મહાસાગરની મુસાફરીનો મધ્યભાગ હેમખેમ પાર થઈ શક્યો છે, એ કાંઈ ઓછા હર્ષોલ્લાસની વાત થોડી જ છે? પ્રાન્ત તમારી નજર સમક્ષ જ માજા મૂકીને ઊછળતા-કૂદતા એક વિરાટ મહાસાગરની કલ્પના કરો કે જેમાં વાંભ વાંભ મોજાં ઊછળી રહ્યાં છે. જોરદાર ભરતી આવવાથી જેણે ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું છે અને દૂર દૂર સુધી પૃથ્વીને જળબંબાકાર કરી દીધી છે, જેમાં મોટા મોટા આવર્તી ઘૂમરી લઈ રહ્યા છે. સાથે જ અથાગ એવું પણ સમુદ્રજળ સખત રીતે ડહોળાઈ જવાથી જેના પેટાળમાં રહેલો રત્નરાશિ પણ પ્રગટ રીતે ઝળહળી રહ્યો છે.. એટલે ‘મહોદધિની મહત્તા તમારા માનસપટલ પર સમ્યગુ રીતે અંકિત થઈ જશે. પેલો જેમ જળનો મહાસાગર છે, તેમ આ શબ્દોનો મહાસાગર છે. | શબ્દો પણ જેવા તેવા નહિ પરંતુ બધા રત્નતુલ્ય હોઈ આનું નામ “શબ્દરત્નમહોદધિઃ' રાખવામાં આવ્યું છે. મહોદધિ-પરિવારના આ પગલાંને સૌ સુજ્ઞજનો અંતરના ઉમળકાથી આવકારશે જ એવી સંપૂર્ણ આશા સાથે વિરમું છું. પ. પૂ. શ્રી રૂપવિજય મહારાજનો પ. પૂ. આ. દે. શ્રી મહેન્દ્રડહેલાનો ઉપાશ્રય, સુરીશ્વરજી મ. સા.ના અમદાવાદ-૧. અંતિમ અન્તવાસી સં. ૨૦૪૪, અશ્વિન પૂર્ણિમા. મુનિ મણિપ્રભવિજય (રત્નપુંજ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 838