________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ અત્યારે જે વાત થાય છે અને જે કંઈ હકીકત દેખાય છે એ બધુ નકલી છે. પરમાત્માની પ્રાર્થના કરીએ તો એમાં કોઈ ભાવના ધબકતી નથી. પરમાત્માને પામવાની કઈ તરસ તડપતી નથી, ને પોતાના પાપ માટેનું કેઈ રૂદન નથી. - જ્યાં સુધી પોતાના પાપનું રૂદન પ્રગટ થતું નથી ત્યાં સુધી મનનું પ્રક્ષાલન શી રીતે થાય ? અને જ્યાં સુધી મનનું પ્રક્ષાલન થાય નાહિ ત્યાં સુધી ચિત્તની શુદ્ધિ શી રીતે થાય? અને જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનાની સિદ્ધિ શી રીતે મળે ?
એટલે જ ભગવાન મહાવીરે ચિંતન આપ્યું છે કે હમેશાં વિચાર કરીને જ વર્તે.
એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે અચાનક આવેશમાં આવીને કોઈક છેટું કામ કરી બેસે ત્યાં સુધી તે બહુ વાંધો નથી આવતા પરંતુ ખોટું કામ કર્યા પછી એના હૃદયમાં જો પાપનું રૂદન પ્રગટ થતું નથી, પશ્ચાતાપની ગંગા વહી નીકળતી નથી, પરમાત્મા માટેનો દર્દભર્યો પેકાર પ્રગટ થતો નથી. તે
www.kobatirth.org
For Private And Personal Use Only