Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu
Author(s): Padmasagarsuri
Publisher: Sadvichar Parivar Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કશુંક પ્રાપ્ત થઈ ગયું તો એ એમ માને છે કે મેં આમ કર્યું એટલે મ આ બધું મળી ગયુ અને એટલે એ વળી ઓર જોરથી ખાટું કામ કરે છે. મશહુર કવિ ગાલીબે કહ્યું હતું ? ઉછલ લે કૂદ લે જબ તક હૈ જેર નલિયામે યાદ રખના ઇસ તનકી ઉગી ખાક ગલીમે. તમારી પાસે શારીરિક શક્તિ હોય, પોકેટ ગરમ હોય, કઈ શક્તિ તમારી પાસે આવી હોય તોય ઉપરના વાક્યને ધ્યાનમાં રાખજે. મેતને હમેશાં નજર સામે રાખજે. તો જ તમે ખેટા કામથી બચી શકશે. પિતાના મત ઉપર નજર રાખીને ચાલનારો કદી ખોટું કામ કરતો નથી. ભૂલથી અગર આવેશને લીધે કદાચ એનાથી ખોટ કામ થઈ ગયું હોય તો પશ્ચાત્તાપનાં આંસુથી એ પાપનું પ્રક્ષાલન કરી લે છે. અંતઃશુદ્ધિ કરી લે છે ને સંકલ્પ કરે છે કે હવે પછી ટું કામ કરવું નથી. ભવિષ્યમાં કદી ખોટું કામ કંઈક નહિ એ સંકલ્પ હમેશાં સિદ્ધિદાયક બની જાય છે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24