Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 389
________________ જિનશાસનરત્ન તપસ્યા પ્રસંગને અનોખે મહોત્સવ સંઘ કે સમાજના સુખ-દુ:ખ માટેની ઉત્કટ ઝંખના યુગવીર આચાર્યશ્રીને હતી તેવી જ ઝંખના ચરિત્ર નાયકને પણ હતી. એક ધર્મગુરૂ પિોતાના ધર્મના અનુયાયીઓના ઉત્કર્ષ માટે કેટલી ચિંતા રાખતા તેનો આ એક પ્રસંગ છે. મહાતપસ્વી મુનિશ્રી અનેકાન્તવિજ્યજી મહારાજે સંવત ૨૦૨૪માં બડાતમાં પિતાની પત્ની રાજરાણી દેવી અને ત્રણેય પુત્રો અનીલ, સુનીલ અને પ્રવીણ તથા કાકા વિલાયતીરામ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ત્યાગમય તપસ્વી જીવન મુનિશ્રી પસાર કરવા લાગ્યા. દીક્ષા લીધા પછી તપસ્વીનું સૌ પ્રથમ ચાતુર્માસ સં. ૨૦૨૪માં આચાર્યશ્રી સાથે બિકાનેરમાં હતું. ૫૧ ઉપવાસ મૌન સાથે રાજસ્થાનની ગરમીમાં પૂર્ણ કર્યા ચરિત્ર નાયકે ૫૧ ઉપવાસના પારણના દિવસે સંધને ફરમાવ્યું કે સમાજના સામાન્ય સ્થિતિવાળા ભાઈ-બહેને માટે ૫૧ હજાર રૂપિયા એકઠા કરી તેમને સહાયતા કરવામાં આવે તે માનીશ કે તપસ્વીને સાચે ઉત્સવ ઉજવાય છે. પ૧ છોડના ઉજમણને બદલે ૫૧ હજાર ( કે ૬૫ હજાર તે સમયે એકત્ર થયેલ)ની જેવી રમ સાધમિકોના ઉત્કર્ષમાં વપરાઈ હતી. સંવત ૨૦૨૫નું ચાતુર્માસ રાજસ્થાનના લુણાવામાં હતું ત્યારે પણ તસ્પવી મુનિરાજે ૬૧ ઉપવાસ કર્યા અને આચાર્યશ્રીના ઉપદેશથી ૬૧ હજારનું ફંડ કરી રકમ નિભાવ ફંડમાં કાયમ રાખી તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394