Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 307
________________ ર છે એટલે તને ઘર “ઉડ ઉડ? લાગે છે. આજે છોકરાઓની ધમાલ નથી એટલે તને નિરસ વાતાવરણ લાગે છે. હવે વિચાર કર – તારી આ મનોદશા હોય? વખત કોને ન જાય? હજુ તારે બાહ્યમાં જ રાચવું છે? તારે હજુ છોકરાએ ઘરમાં નથી એ વાતની ફરિયાદ કરવી છે? ધન્ય છે તારી વિચારણાશક્તિને! નમિરાજાને બયાના અવાજે પીડા કરી. એના દાહવરને શાંત કરવા પાંચસો સ્ત્રીઓ ચંદન હસવા લાગી ગઈ, ત્યારે એ ચીડાઈ ગયા. અવાજ બંધ પાડવાની આજ્ઞા થઈ. સ્ત્રીઓએ બધાં અલેયાં કાઢીને ફક્ત એક એક સોભાગ્યકંકણ રાખ્યું અને ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું અવાજ બંધ થયો. દાહવરવાળા નસિરાજાને આ શાંતિ ગમી ગઈ. તેણે તેનું કારણ પૂછયું. એકપણાને લાભ સમજાણે. તારી પણ એને લગતી જ દશા લાગે છે! તું શાંતિની મેટી મોટી વાત કરે છે, એને મેળવવા ચેજના કરે છે, પણ જ્યારે તે ખરેખર તને થોડા વખત માટે મળે છે, ત્યારે તેને ઉલટું ઉડ ઉડ લાગે છે! ઘર ઉડઉડ તે કેને લાગે? જેને આત્મચિંતવન, તત્વવિચારણા કે ધ્યાનધારા સાધવા હોય તેને એકાંત સ્થિતિમાં ઉડ ઉડ' જેવું કદિ લાગે? આવી શાંતિ મેળવવાની તારી આંતરઈચ્છા હતી કે માત્ર દેખાવ હતો તેની કદી શશી મૂકી છે? શાંતિ મેળવવાની ઈચ્છા સાથે તે મળે તે વખતે શું કરવું તેની ગોઠવણ જોઈએ, તેને અભ્યાસ જોઈએ, તેની પ્રતીતિ અને ઓળખાણ જોઈએ, નહિ તે શાંતિ આવે ત્યારે પેટા વિકલ્પ થાય છે. ભૂમિકાશુદ્ધિ વગર ઉચ્ચ

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340