Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 318
________________ આત્મ પરિકમ્મા ತಿತಿ તે એવું બને છે કે અન્યના જૂઠાપણા માટે આપણે ટીકા કરતા હોઈએ, ત્યારે આખા દિવસમાં આપણે કેટલીવાર ઓટાળાવાળું બોલતા હોઈએ છીએ તેને કદી કયાસ પણ કરેલો હેતું નથી. આપણને પદ્ધતિસરની એક પંક્તિ પણ લખતા ન આવડતી હોય, છતાં જગતના સ્વીકારાયેલા મહાન લેખકેની આપણે ભૂલ કાઢવા મંડી જઈએ છીએ અને કેઈ જાતને વિચાર કર્યા સિવાય અતિ સુંદર કાર્ય કરનારને સમજ્યા વગર તેને અમુક આશય હશે એમ ધારી-માની લઈએ છીએ અને તેટલેથી ન અટકતાં અન્યની પાસે તેવી વાત ખૂબ રસ લઈને કરવા લાગી જઈએ છીએ. ટુંકામાં કહીએ તે આ પ્રાણીને પારકી વાત કરવાનો એટલે ચરસ લાગી ગયેલ હોય છે કે ગમે તેવા પ્રસંગે દિવસમાં અનેક વાર અને વર્ષમાં સેંકડેહજાર વખત એ પારકાની બાબતમાં મત આપ્યા જ કરે છે, સાચી ખોટી વાત કર્યા જ કરે છે અને નકામાં ગપ્પાં મારી મનઘડંત કલ્પનાઓને માર્ગ આપ્યા જ કરે છે. કેટલીરવાર સ્વેચ્છાએ, કેટલીકવાર વગર વિચાર્યું અને ઘણીખરી વાર હેતુ કે પરિણામના ખ્યાલ વગર અન્યની નિર્બ ળતાઓ, નબળાઈઓ, તુચ્છતાઓ અને ઉણપને એ નવાનવા રૂપે ચીતર્યા જ કરે છે અને તેમ કરવામાં પિતાનું ડહાપણું માને છે અને એ બાબતને તેને સ્વાધીન હકક કોઈ જ કરે કે તે પર તકરાર ઊઠાવે તે ઊલટો ગુસ્સે થાય છે અને પિતાના ઘમંડમાં–મને રાજ્યમાં હાલ્યા કરે છે. એને કદી ખ્યાલ થતું નથી કે ભાઈ! તું કોણ? કઈ ભાજીને મૂળ? પારકા પર અભિપ્રાય આપવાનું સર્વજ્ઞત્વ

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340