Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 334
________________ રમતશિખરને માગે કાર મળ્યા પછી સ્ટીમ ચઢતી નથી, એ એની સાધ્ય દશામાં સ્થિર રહે છે, પરમ શાંતિનો અનુભવ કરે છે અને સર્વ પ્રકારનાં સુખ, દુઃખ, પ્રપંચ અને રખડપટીને દૂર કરે છે. આ કાયમની સ્થિતિ છે, એને માટે ચલને બહુ જરૂરી છે, માત્ર તે એગ્ય પ્રકારના અને સાધ્ય તરફ લઈ જનારાં હાધાં જોઈએ.” | મુમુક્ષુ:–એક બીજી વાત કરું: ચલને તદ્દન અટકી જાય અને પછી તે બેસી રહેવાનું, એટલે એમાં મજા શી આવતી હશે? મને તે ચલનમાં એક જાતનો આનંદ આવે છે.” - પંથી–એજ સંસારરસિકતા છે. સ્થિરતામાં જે આનંદ છે, શાંતિ છે, સુખ છે, અવિનાશીતા છે, તેને ખ્યાલ સંસારીજીવને આવો અશક્ય છે, અને આ વાત ચાલ્યા કરવામાં પણ શે આનંદ છે? તમે ચલનમાં મજા કરે છે તે તે તદ્દન સ્થળ છે અને ઘણુંખરી મજા તે પાલિક છે. ખાવાપીવામાં, ઘરબાર વસાવવામાં, ઇન્દ્રિયના લેઓ ભેગવવામાં કે માનપ્રતિષ્ઠા મેળવવામાં તે જરાપણુ દમ જેવું નથી. એને માટે ચલન થાય તેને તો આપણી વાતવિક ચલનની વ્યાખ્યામાં સ્થાન પણ નથી. એવાં ચલને તે આત્માને પાછા પડમા છે, અધ:પાત કરાવનારા છે, સંસાર તરફ લઈ જનારાં છે. એ ચલનને પરિણામે તો ભણિકવાર ઉપર ઉપરના ભેગો મળે ત્યારે મન સુખ માને, બાકી એને વિયોગ થાય એટલે મહા આંતર કષ્ટ થાય, મોટે કચવાટ થાય અને મન અવ્યવસ્થામાં પડી જાય. એવાં ચલનેને તે વિચાર કરે પણ ઉચિત નથી. વિશુદ્ધ

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340