Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 107
________________ જવાં, જમણી બાજુનું હૃદય પહોળું થઈ જવું, હાથ-પગની ધમનીઓ સંકોચાઈ જવી, હોજરી અને નાના આંતરડાઓમાં ચાંદા (અલ્સર) પડવા, આંખોની જોવાની ક્ષમતા ઘટવી વગેરે અનેક ખતરનાક નુકશાનો પેદા થાય છે. ધૂમ્રપાનના ધૂમાડાના રાસાયણિક કણો દાંતના મૂળમાં, બે દાંત વચ્ચે કે ગળામાં જામી જાય છે. આથી દાંત કાળા કે છીંકણી રંગના થઈ જાય છે. છેવટે દાંત નબળા પડીને વહેલા પડી જાય છે. તમાકુનો કેન્સર સાથે સીધો સંબંધ છે. તે ફેફસા, હોઠ, જીભ, હોં, સ્વરપેટી, ગળું, અન્નનળી, મૂત્રાશય, કીડની, સ્વાદુપિંડ, પ્રોસ્ટેટ જેવા કેટલીયે જાતના કેન્સર ઊભા કરે છે. તમાકુના વ્યસની વ્યક્તિઓના સંતાનોને પણ ફેફસાના રોગો, શ્વાસના રોગો તથા અસ્થમા જેવા ભયાનક રોગો થવાની શક્યતા પણ વધી જાય છે. તમાકુમાં રહેલું નિકોટીન એ એક માદક-કેફી દ્રવ્ય તરીકે પૂરવાર થયું છે. લોહીમાં નિકોટીનના અમુક પ્રમાણથી તેના વ્યસનીને કેફ અનુભવાય છે. તે લેવલ ઓછું થાય એટલે તેને ફરી તમાકુની તલપ જાગે છે. વળી, તમાકુ વગેરેના વ્યસનીઓમાં એક તત્વજ્ઞાન - ૯૪ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134