Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 149
________________ “પુસ્તક-જે મને ગમ્યાં છે” લગતાં ચિત્રો અને કળાને એક અમૂલ્ય અને સમૃદ્ધ ભંડાર હતો. તેણે લક્ષ્મીને કહ્યું કે, “એ બધું ભગવાનને અર્પણ કરી દેવાને વિચાર એને એ કારણે આવ્યો હતો કે તે એકલા જ એની કિંમત સમજી શકે તથા તેનું રહસ્ય પામી શકે તેવી લાયકાત ધરાવતા હતા. પણ મને બીક લાગી કે ભગવાન સાથે કાંઈ પણ સંબંધ ધરાવવો એ મારે માટે જોખમકારક વસ્તુ બની રહે; તેથી છેવટે મેં આખી જિદગીની મહેનતને મારી સમસ્ત સંગ્રહ ભારત સરકારને સોંપી દીધો.” મેં એ બંને પુસ્તકોને ખૂબ ચાહ્યાં છે, પરંતુ એ માણસને – અજીત મુખર્જીને માટે– એ ઉંદરડાને માટે શું કહેવું? આવી બીક રાખે? અને એવી બીક રાખીને તંત્ર ગ્રંથ સમજવા એ શક્ય છે? અશક્ય! તેણે જે કંઈ લખ્યું છે એ કેવળ બુદ્ધિને વિલાસ છે, તે બધું તેના હૃદયમાંથી નિપજેલું નથી – નિપજી શકે જ નહિ, તેની પાસે હૃદય નામની ચીજ જ નથી. શરીર તંત્રને વિચાર કરીને જ કહીએ તો એક ઉંદરડાને પણ હૃદય હેય છે; પરંતુ એ હૃદય નથી, માત્ર ફેફડાં છે. માણસમાં જ ફેફસાં ઉપરાંત વધારે એવી કોઈ ચીજ હોય છે – અર્થાતુ હૃદય ! અને હૃદય ! અને હદય તો હિંમત, પ્રેમ અને સાહસની ભરેલી આબેહવામાં જ પાંગરી શકે. કે બાપડો માણસ! છતાં તેનાં પુસ્તકોની હું કદર કરું છું. એ ઉંદરડાએ પણ બહુ મોટું કાર્ય કરે છે. એ બે ચોપડીઓ તંત્રને માટે તથા તત્વના શોધકો માટે બહુ મહત્વની રહેવાની છે પણ અજીત ઉદરડાને – અરે અજીત મુખર્જીને ક્ષમા કરો અને ભૂલી જાઓ. અજીત મુખર્જી, પણ એટલું સમજી રાખજે કે, હું તારો કે કોઈને પણ વિરોધી કે દુશ્મન નથી. દુનિયામાં હું કેઈન દુશ્મન નથી. જોકે દુનિયામાં લાખો ને કરોડો એવા લોકો છે જે મને તેમને દુશ્મન માને છે. પણ એની મારે શી પંચાત ? અજીત મુખર્જી છતાં 9. It is their business. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182