Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 162
________________ પાયથેગેરસ ૧૫૭ વાળાઓએ તેને ખરાબમાં ખરાબ અર્થ કરી તેને કામ-સંગને લગતું પુસ્તક ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે કામ-સંગને લગતું હરગિજ નથી. તે ઇંદ્રિયલક્ષી (sensual) જરૂર હશે; પણ તે કામ-સુખને લગતું (sexual) હરગિજ નથી. તે એટલું બધું જીવંત પુસ્તક છે કે તે ઇંદ્રિયલક્ષી જ લાગે. તે રસ (juice) થી છલકાતું પુસ્તક છે એટલે તે તેવું લાગે. પણ તેને કામ-સુખને લગતું (sexual) પુસ્તક ન કહેવાય. કામ-સુખ એને એક અંશ હશે. પરંતુ તેથી માનવજાતને અવળે પાટે ચડાવવાની જરૂર નથી. હવે તો ન્યૂ લોકો પણ તેનાથી ગભરાવા લાગ્યા છે. તેઓ હવે એમ કહેવા લાગ્યા છે કે, અકસ્માતથી જ “ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એને સમાવેશ થઈ ગયો છે. ખરી વાત તો એ છે કે, એ પુસ્તક એકલાને જ બચાવી રાખવાની જરૂર છે; બાકીનું બધું તો સળગતી આગમાં હોમી દેવા જેવું છે. પાયથેગોરાસ આ ચેથી બેઠકના જ બીજા પુસ્તક તરીકે હું પાયથેગરાસનું ધ ગોલ્ડન વર્સિસ' (૧The Golden Verses') પુસ્તક રજૂ - કરું છું, પાયથેગરાસ જેટલી ગેરસમજ બીજા કોઈ વિશે ભાગ્યે ઊભી કરાઈ હશે. તમે જો જ્ઞાની બને, તો તમારે વિશે ગેરસમજો જ ઊભી થવાની, એ નિશ્ચિત વાત છે. જ્ઞાની થવામાં મોટો ખતરો જ એ છે કે, 'તમારે વિષે ગેરસમજ જ ઊભી થવાની. પાયથેગોરાસને તેના પિતાના શિખે જ સમજી શક્યા ન હતા - તેનું "ધ ગોલ્ડન વસિસ’ પુસ્તક તે તૈયાર કરનારા શિષ્યો પણ! તેઓએ યંત્રની પેઠે જ તે પુસ્તક તૈયાર 9. if you know. 2. mechanically. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182