Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 223
________________ શ્રી અજાહરા પાર્શ્વનાથજી ૨૧૧ રાજા પણું જેન ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયે. તેમના મોટા પુત્ર અનંતરશે વ્રત ગ્રહણ કર્યું. જેથી તેમને બીજો પુત્ર દશરથ રાજ્યને અધિપતિ થયા. તે દશરથને જગત વિખ્યાત એવા આઠમા વાસુદેવ શ્રી લક્ષ્મણ (નારાયણ) તથા (બળદેવ) રામચંદ્ર ત્રણ ખંડના અધિપતિ આદિ ચાર પુત્ર થયા તેમજ લક્ષ્મણ (નારાયણ) ના હાથથી રાવણ (દશાનન)નો નાશ થયો હતે, તે માટે જુઓ જૈન રામાયણમાં અથવા ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્રમાં. ઉના અને દેલવાડા વચ્ચે અજારા ગામમાં આ તીર્થ હમણાં થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું છે એમ તેના સ્તવનમાં લખ્યું છે. આ બિંબને શાસન દેવતાએ સાગર નામે શેઠને આપ્યું હતું. જેથી તેમના સકળ મનોરથ પૂરા થયા હતા. જગત ગુરૂ હિરવિજયસૂરિએ છેલ્લું ચોમાસું ઉનામાં જ કર્યું હતું. તેમને અગ્નિ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યો હતે. પ્રતિમા ચમત્કારીક છે, લેપ કરવો પડે છે. લેપ લાલ રંગને છે એક ચેતરે પણ ત્યાં છે થોડા વખત પહેલાં એ કાઉસગ્ગીયા એક માણસ જેટલા ઉંચા છે તે નીકળ્યા છે. બીજી પ્રતિમાઓ નીકળે તેવો સંભવ છે, ચાતરા પાસેથી પ્રતિમાજી પ્રગટ થઈ હતી. તે જગાએ છ દેરાસરનું એક દેરાસર છે. તે ઉપર એક ઘંટ છે. તેના ઉપર “સંવત ૧૧૪ માં અમરચંદ જેચંદ” એ લેખ છે. જે સ્થળે હીરવિજયસૂરિને અગ્નિ સંસ્કાર કર્યો તે જગ્યાએ આંબા સારા ફળે છે. ભાદરવા સુદી ૧૧ ના દિવસ પર્યત ત્યાં કેરી આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262